ચિરાગ પાસવાને પીએમ મોદીનુ કર્યુ સ્વાગત, નીતિશ કુમાર પર કર્યો કટાક્ષ
પટનાઃ લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને એક વાર ફરીથી સીએમ નીતિશ કુમાર પર તગડો વાર કર્યો છે. લોજપા અધ્યક્ષે શુક્રવારે પોતાના ટ્વિટમાં પીએમ મોદીનુ બિહારમાં સ્વાગત કરીને સીએમ પર આકરો પ્રહાર કર્યો છે. ચિરાગે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'આદરણીય પ્રધાનમંત્રીજીની આતુરતાથી રાહ જોઈ રહેલ આદરણીય @NitishKumarજીની રાહ આજે ખતમ થઈ જશે. આદરણીય @AmitShahજીના કહી દીધા બાદ કે @LJP4India બિહાર ચૂંટણીમાં એનડીએનો હિસ્સો નથી, નીતિશજીને સાંત્વના ન મળી, હજુ વધુ પ્રમાણપત્ર જોઈએ. આદરણીય @narendramodiજીનુ સ્વાગત છે.'
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આજથી પોતાના મિશન બિહારનો આરંભ કરવાના છે. પીએમ મોદી આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આ દરમિયન બિહારના સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે મંચ પર હાજર રહેશે. વળી, નવાદા અને ભાગલપુરમાં આજે રાહુલ ગાંધીની રેલીઓ છે જ્યાં તેજસ્વી યાદવ પણ તેમની સાથે મંચ પર રહેશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચિરાગે સીએમ નીતિશ કુમારની ટીકા કરીને પીએમ મોદીની ખુલીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કોઈ પમ મને પીએમ મોદીનુ સમ્માન કરવાથી રોકી નહિ શકે. સીએમ નીતિશ કુમારે પ્રચારનુ પૂરુ જોર મારા અને પ્રધાનમંત્રી વચ્ચેનુ અંતર બતાવવામાં લગાવી દીધુ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માહિર મુખ્યમંત્રી રોદ મારી અને ભાજપ વચ્ચે અંતર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારા અને પ્રધાનમંત્રીના સંબંધો કેવા છે, આ મારે પ્રદર્શિત કરવાની જરૂર નથી.
પપ્પા જ્યારથી હોસ્પિટલમાં હતા ત્યારથી લઈને તેમની અંતિમ યાત્રા સુધી તેમણે મારા માટે જે કંઈ પણ કર્યુ તેને હું ક્યારેય નહિ ભૂલી શકુ. હું નથી ઈચ્છતો કે મારા કારણે પ્રધાનમંત્રી મોદીજી મારા કારણે ધર્મસંકટમાં પડે. તે પોતાનુ ગઠબંધન નિભાવે. આદરણીય વર્તમાન મુખ્યમંત્રીને સંતુષ્ટ કરવા માટે મારી વિરુદ્ધ કંઈ કહેવુ પડે તો નિઃસંકોચ થઈને કહે. સાથે જ નીતિશ કુમાર માટે તેમણે કહ્યુ હતુ કે જનતા સામે તેમને કહેવા માટે કંઈ નથી માટે તેમને દરેક જગ્યાએ પીએમ મોદીની જરૂર પડી રહી છે.
રાજકોટઃ પ્રતિબંધ છતાં પીપીઈ કિટ પહેરીને ગરબા રમ્યા ડૉક્ટર