ભત્રીજાના ઘરે ઇડીના દરોડાપર સીએમ ચન્નીએ આપી પ્રતિક્રીયા, કહ્યું- અમને ડરાવવાની કોશિશ, અમે લડવા માટે તૈયાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીના ઘરે દરોડા પાડ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલી આ કાર્યવાહીથી સત્તાધારી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. આના પર સીએમ ચરણજીત ચ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીના ઘરે દરોડા પાડ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલી આ કાર્યવાહીથી સત્તાધારી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. આના પર સીએમ ચરણજીત ચન્નીની પ્રતિક્રિયા આવી છે. ચન્નીએ કહ્યું, "મને ટાર્ગેટ કરવા માટે આવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેથી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મારા પર દબાણ લાવી શકાય. પરંતુ હું કહેવા માંગુ છું કે, અમે લડવા તૈયાર છીએ. અમે લડીશું."
પંજાબના સીએમ ચરણજીત ચન્નીએ કહ્યું, "જે લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેના માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે લોકશાહી માટે સારું નથી. આ અગાઉ પણ ચૂંટણી (પશ્ચિમ બંગાળ) દરમિયાન થયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો."
જણાવવામાં આવી રહ્યું છે કે આજે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગેરકાયદે રેતી ખનન કરતી કંપનીઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે પંજાબમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ મામલામાં મોહાલીમાં ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મંગળવારે સવારથી જ આ દરોડાની શરૂઆત કરવામાં આવી હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ પંજાબમાં 10 થી 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી છે.
નોંધનીય છે કે પંજાબમાં 20 ફેબ્રુઆરીથી વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે અને અન્ય ચાર રાજ્યોની સાથે પંજાબના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર પરની આ કાર્યવાહીથી ચૂંટણીની તૈયારીઓ દર્શાવવામાં આવી શકે છે, તેની અસર તેમની છબી પર પડી શકે છે.