Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સીએમ યોગી ગોરખપુરના પ્રવાસે, વકીલોને આપશે ખાસ ભેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ગોરખપુર પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કેટલાક કાર્યક્રમમાં ભાગ લેશે. સીએમ યોગી આજે વકીલોને ખાસ ભેટ આપશે જેમનો તેને ઘણા સમયથી ઈંતેજાર હતો.

cm yogi adityanath

જાણકારી મુજબ સીએમ યોગી રવિવારે સાંજે વકીલોને સવા નવ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. રવિવારે સાંજે પ્રસ્તાવિત કાર્યક્રમમાં સીએમ યોગી ગોરખપુર કલેક્ટ્રેટ મુખ્યાલય પરિસરમાં 3 કરોડ 46 લાખ 21 હજાર રૂપિયાની લાગતથી બનેલા મલ્ટીસ્ટોરી વકીલ ચેમ્બર્સ તથા સદર તાલુકામાં 4 કરોડ 54 લાખ 24 હજાર રૂપિયાની લાગતથી નિર્મિત વકીલ ચેમ્બર્સનું લોકાર્પણ કરશે. આની સાથે જ 1 કરોડ 25 લાખ 30 હજાર રૂપિયાની લાગતથી કલેક્ટ્રેટ પરિસરમાં બનવા જઈ રહેલ ડિજિટલ લાઇબ્રેરીનો શિલાન્યાસ પણ કરશે.

આગલા દિવસે સીએમ યોગી પોતાના પારંપરિક દિનચર્યા અંતર્ગત પૂજા અર્ચના કરશે. જે બાદ સીએમ જનતા દરબારમાં ફરિયાદીઓની સમસ્યા સાંભળશે. સોમવારે સાંજે વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં પ્રસ્તાવિત એક સમારોહમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8450 લાભાર્થીઓને 51 કરોડ રૂપિયાની ધનરાશિું વિતરણ કરાશે.

તેઓ 250 લાભાર્થીઓને 50 હજારના દરે પ્રથમ હપ્તો (1.25 કરોડ), 2200 લાભાર્થીઓને 1.50 લાખ રૂપિયાના દરે બીજો હપ્તો (33 કરોડ) તથા 3350 લાભાર્થીઓને 50 હજાર રૂપિયાના દરે ત્રીજો હપ્તો (16.75 કરોડ)ની ધનરાશિ સિંગલ ક્લિકથી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X