અમરાવતીના ભાજપ ઉમેદવાર નવનીત રાણા સામે ફરિયાદ, રાહુલ ગાંધીના વિરૂદ્ધમાં કરી હતી ટિપ્પણી
Lok Sabha Election 2024: રાહુલ ગાંધીની વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી મામલે અમરાવતીથી લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ દ્વારા જાણકારી આપવામાં છે કે, ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી પંટના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ મળી છે. આ ફરિયાદ બુધવારના રોજ નોંધાઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ચૂંટણી ફરજ પર તૈનાત ચૂંટણી પંચના FST કૃષ્ણ મોહને નવનીત રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નવનીત રાણાએ 2013માં AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીના નિવેદનનો જવાબ આપતાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી નેતાએ જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ રેશિયોને સંતુલિત કરવામાં તેમને 15 મિનિટ લાગશે, પરંતુ જો પોલીસને હટાવવામાં આવશે, તો અમને 15 સેકન્ડનો સમય લાગશે.
નવનીત રાણાની ટિપ્પણીનો જવાબ આપતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેમણે 15 સેકન્ડનો સમય માંગ્યો છે, પરંતુ તેમને એક કલાક આપો, અમે ડરતા નથી. ઓવૈસીએ કહ્યું કે, અમે જોવા માંગીએ છીએ કે, તેમનામાં કેટલી માનવતા બાકી છે.












Click it and Unblock the Notifications
