'આપ'ને આંખો બંધ કરીને ના આપવું જોઇએ સમર્થન: જયરામ
જોકે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સચિવ અહમદ પટેલે મંગળવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે કોઇ સંગઠનમાં મતભેદ હોય છે પરંતુ હજી આમ આદમી પાર્ટીને અમારું સમર્થન છે, બાદમાં શું થાય છે અમે જોઇશું. જ્યારે મગળવારે પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિની ઓફિસ બહાર સરકાર બનાવવાને લઇને 'આપ'ને સમર્થ આપવાને લઇને પાર્ટીના નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આપ દ્વારા દિલ્હીમાં સરકાર બનાવવાના નિર્ણય બાદથી જ કોંગ્રેસના ઘણા નેતા સતત એવું કહેવા લાગ્યા છે કે આપને સમર્થન આપવાનો નિર્ણય યોગ્ય નથી.
આ બધી અટકળો છતાં કોંગ્રેસના 15 વર્ષના શાસનો અંત કરતા આમ આદમી પાર્ટીને શાનદાર જીત અપાવનાર અરવિંદ કેજરીવાલ શનિવારે 28 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ રામલીલા મેદાન અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું આયોજન સ્થળ હતું. પાર્ટીએ બુધવારે આની ઔપચારિક જાહેરાત કરી છે. આપના નેતા કુમાર વિશ્વાસે પત્રકારોને જણાવ્યું કે અમે ઉપરાજ્યપાલને અનુરોધ કર્યો કે અમે શનિવારે 28 ડિસેમ્બરના રોજ શપથવિધિ કરવા માગીએ છીએ, અને તેમણે અમને માન્યતા પણ આપી દીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલના ઘર પર થયેલી પાર્ટી નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. કેજરીવાલ આ પહેલા ગુરુવારે શપથ લેવાના હતા. જાણકારી અનુસાર કેજરીવાલ શનિવારે બપોરે બાર વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેવાના છે. આની તૈયારીઓ અત્રે ચાલુ કરી દેવામાં આવી છે. નોંધીય છે કે કેજરીવાલના કેબિનેટના મંત્રીઓની પણ શપથવિધિ અત્રે થશે.