બીજી લહેર જેટલી ઘાતક નહિ હોય કોરોનાની ત્રીજી લહેર, ICMRના નવા રિસર્ચમાં દાવો
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ એક રાહતની માહિતી આપી છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડવા સાથે ત્રીજી લહેર વિશે ઘણા પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે જો લોકોએ કોરોના વાયરસ સંબંધી પ્રોટોકૉલનુ પાલન કરવામાં બેદરકારી રાખી તો રાજ્યમાં મહામારીની ત્રીજી લહેર પણ આવી શકે છે. જો કે, આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ એક રાહતની માહિતી આપી છે. આઈસીએમઆરે પોતાના નવા રિસર્ચમાં જણાવ્યુ છે કે જો કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો તેની બીજી લહેર જેટલી ગંભીર હોવાની સંભાવના ઓછી છે.

લંડનની ઈમ્પીરિય કૉલેજના સહયોગથી કરવામાં આવેલ રિસર્ચમાં આઈસીએમઆરે જણાવ્યુ કે જો રસીકરણ અભિયાનમાં વેગ લાવવામાં આવે તો ત્રીજી લહેરને આવવાથી રોકી પણ શકાય છે. રિસર્ચ મુજબ, 'જ્યાં સુધી કોરોના વાયરસનો આ નવો વેરિઅંટ છેલ્લા સંક્રમણથી બનેલી એંટીબૉડીનો સંપૂર્ણપણે નાશ ના કરી દે, ત્યાં સુધી તેનાથી મહામારીની એક નવી લહેર પેદા થવાનો ખતરો નથી. કોરોના વાયરસના એક વધુ સંક્રમક વેરિઅંટને ત્રીજી લહેર પેદા કરવા માટે 4.5ની પ્રજનન સંખ્યા સીમાને પાર કરવી પડશે.'
'ડેલ્ટા પ્લસ વેરિઅંટથી ત્રીજી લહેરને કોઈ લેવા-દેવા નથી'
તમને જણાવી દઈએ કે હાલમાં જ દેશના મોટા ડૉક્ટરોમાં ગણાતા અને જીનોમ સીક્વેંસર ડૉ. અનુરાગ અગ્રવાલે પણ કહ્યુ હતુ કે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરથી ડેલ્ટા પ્લસ વેરિઅંટને કોઈ લેવા-દેવા નથી. પોતાના અભ્યાસનો રિપોર્ટ જાહેર કરીને ડૉ.અનુરાગ અગ્રવાલે જણાવ્યુ, 'અમારી ટીમે મહારાષ્ટ્રમાં 3500થી વધુ સેમ્પલ લઈને તેની સિક્વંસિંગ કરી. આમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસો તો સૌથી વધુ મળ્યા પરંતુ તે એક ટકાથી પણ ઓછા હતા. આવી સ્થિતિમાં હાલમાં એવા કોઈ પુરાવા નથી જેનાથી કહી શકાય કે ડેલ્ટા પ્લસ વેરિઅંટથી મહામારીની ત્રીજી લહેર આવી શકે છે.'
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
