આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચાર
કોરોના વાયરસ સામે ચાલી રહેલા વ્યાપક રસીકરણ અભિયાનની તૈયારીઓ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ એક રાહતના સમાચાર આપ્યા છે.
નવી દિલ્હીઃ coronavirus update: કોરોના વાયરસ સામે ચાલી રહેલા વ્યાપક રસીકરણ અભિયાન (Coronavirus Vaccine)ની તૈયારીઓ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા (Randeep Guleria)એ એક રાહતના સમાચાર આપ્યા છે. રણદીપ ગુલેરિયાએ આશા વ્યક્ત કરી છે કે આગામી 6 મહિનામાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણ(Coronavirus Transmission)ની ચેઈન તૂટી જશે. તમને જણાવી દઇએ કે આ સમયે સરકાર ખૂબ મોટા પાયે કોરોના વાયરસના રસીકરણની વ્યવસ્થા કરવામાં લાગી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણ માટે જરૂરી તમામ સાધનો પણ રાજ્ય સરકારોને મોકલી દેવામાં આવ્યા છે.

એનડીટીવીના સમાચાર મુજબ ડૉ. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યુ કે, 'મને આશા છે કે આવતા છ મહિનામાં અમારી પાસે બે વસ્તુઓ હશે. પહેલી - અમારી પાસે એવા લોકોની પૂરતી સંખ્યા હશે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી રિકવર થઈ ચૂક્યા હશે અને જેમની અંદર એક ખાસ પ્રકારની ઈમ્યુનિટી પેદા થઈ ગઈ હશે. બીજી - અમારી પાસે એવા લોકોની પણ મોટી સંખ્યા હશે જેમને કોરોના વાયરસની રસી આપવામાં આવી ચૂકી હશે. આ બંને મળીને આગામી 6 મહિનામાં કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડી શકીએ છીએ.'
'મૃત્યુદર ઘટાડવાનો હેતુ'
ડૉ. રણદીપ ગુલેરિયાએ આગળ જણાવ્યુ, 'અમારો બીજો એક હેતુ કોરોના વાયરસના મૃત્યુદરને ઘટાડવાનો છે અને જ્યારે એવા લોકોને વેક્સીન આપવામાં આવશે જેમને સંક્રમણનુ જોખમ છે તો આ હેતુ આપોઆપ સિદ્ધ થઈ જશે. રસીકરણ અભિયાનના પહેલા તબક્કામાં ફ્રંટલાઈન વર્કર્સ, આરોગ્યકર્મીઓ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત તેમને વેક્સીન આપવામાં આવશે જેઓ ગંભીર બિમારીથી પીડિત છે. આ આખી પ્રક્રિયામાં 4થી 6 મહિનાનો સમય લાગશે. અમારી પાસે એવા લોકોની સંખ્યા લગભગ 30 કરોડ છે જેમાં અમને વેક્સીનનો 60 કરોડનો ડૉઝ આપવો પડશે આના માટે ઘણી મોટી સંખ્યામાં સીરિંજ અને સોયની પણ જરૂર પડશે અને અમારે આ બધુ 6 મહિનાની અંદર પૂરુ કરવાનુ રહેશે.'
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
