કોરોના વાઇરસ : કોરોનાનાં લક્ષણો ન હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, ICMRની નવી માર્ગદર્શિકામાં શું છે?
કોરોના વાઇરસ : કોરોનાનાં લક્ષણો ન હોય તો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, ICMRની નવી માર્ગદર્શિકામાં શું છે?
કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કોવિડ-19નો ટેસ્ટ કરાવવાની જરૂર નથી, જો વ્યક્તિ હઈ-રિસ્ક પર હોય તો જ ટેસ્ટ કરાવવો, એવું કેન્દ્ર સરકારની ટોચની મેડિકલ સંસ્થાએ નવી માર્ગદર્શિકામાં લખ્યું છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જેના પ્રમાણે કોરોના સંક્રમણનાં લક્ષણો ન હોય, એવા લોકોએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
આ સાથે જ નિયત સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલા દર્દી, ઘરે જ આઇસોલેશનમાં રહેલા દર્દી અને ભારતના જ એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં પ્રવાસ કરતી વ્યક્તિના પણ કોરોના ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી.
માર્ગદર્શિકામાં એવું પણ કહ્યું છે કે કફ, તાવ, સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવવી, આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિઓએ કોરોનાના ટેસ્ટ કરાવવા જોઈએ.
પાંચથી દસ ટકા કોરોના દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, પણ... – કેન્દ્ર સરકાર
https://www.youtube.com/watch?v=Sz7VTt4Pwac
કેન્દ્ર સરકારના આરોગ્ય મામલાના સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે કોરોનાની બીજી લહેર વખતે ભારતમાં ઍક્ટિવ કેસો પૈકીના 20-23 ટકા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે આરોગ્ય મામલાના સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આ અંગે વાત કરી હતી.
સોમવારે તેમણે કહ્યું હતું કે હાલમાં ઍક્ટિવ કેસો પૈકી માત્ર પાંચથી દસ ટકા લોકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે, જોકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે.
તેમણે પત્રમાં એવી પણ સૂચના આપી છે કે હોમ આઇસોલેશન અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિતોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=jyGlsMzP4r8&t=5s
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો