લૉકડાઉનમાં ઘરે જઈ રહેલા 4 પ્રવાસી મજૂરોના માર્ગ અકસ્માતમાં મોત
કોરોનાના કારણે પલાયન કરી રહેલા મજૂરોના મોત થમવાનુ નામ નથી લઈ રહ્યા. છેલ્લા 12 કલાકમાં રોડ માર્ગે પોતાના ગામ નીકળેલા 4 મજૂરોના મોત થઈ ગયા. બધા બિહારના હતા અને પોતાના ઘર જવા માટે નીકળ્યા હતા. આમાંથી એક પગપાળા જઈ રહ્યો હતો અને બીજો સાઈકલ પર. એકનુ મોત હરિયાણામાં અને બીજાનુ ઉત્તર પ્રદેશમાં થયુ. બંનેના મોત ઝડપથી આવી રહેલ કારોની ચપેટમાં આવવાથી થયા. હરિયાણાના અંબાલા કેન્ટમાં મંગળવારની સવાર ઝડપી એસયુવીએ પગપાળા જઈ રહેલ બે મજૂરોને ટક્કર મારી દીધી.
આમાં એક મજૂરનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. વળી, બીજો ગંભીર રીતે ઘાયલ થઈગયો. તેને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા અનુસર દૂર્ઘટના કારની બ્રેક ફેલ થવાને કારણે બની. વળી, ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મજૂર શિવકુમાર દાસ(25)ને એક કારે ટક્કર મારી દીધી. તેનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. વળી, બુલંદશહરથી પોતાના દોસ્તો સાથે સાઈકલથી બિહાર જઈ રહ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલકનુ ગાડી પરથી નિયંત્રણ છૂટી ગયુ જેનાથી આ દૂર્ઘટના બની. આ દૂર્ઘટનામાં કારના ચાલક પણ ઘાયલ થયો છે. પોલિસે કાર જપ્ત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે માર્ચના અંતથી લાખો પ્રવાસી કામદારોને કોરોના વાયરસના ફેલાવના સંક્રમણના કારણે લૉકડાઉને બેરોજગાર કરી દીધા છે. હવે તે પોતાના ઘરે પહોંચવા માટે સાઈકલ કે પગપાળા નીકળી પડ્યા છે.
આ પણ વાંચોઃ શું લૉકડાઉનના ઉલ્લંઘન બદલ પૂનમ પાંડેની ધરપકડ થઈ? Video જારી કરી ખુદ જણાવ્યુ