ભારતમાં કોરોના વાયરસનો કહેર, છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ, 6ના મોત
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 979 કેસ છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 979 કેસ છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસથી 979 લોકો સંક્રમિત છે. આમાંથી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. સચિવે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ સામે આવ્યા છે અને છ લોકોના મોત નીપજ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતીય રેલવે હેઠળ છેલ્લા પાંચ દિવસોમાં અનાજ, ખાંડ, મીઠુ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી વસ્તુઓનુ પરિવહન કરતી 1.25 લાખ ગાડીઓનુ સંચાલન કરવામાં આવ્યુ છે.

કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા
આ સાથે જ તેમણે જણાવ્યુ કે જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના ડાયાબિટીઝ, હાઈપર ટેન્શન અને કિડનીથી પીડિત હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ રૂમ, હોસ્પિટલો માટે કહેવામાં આવ્યુ છે, બીજા દર્દીઓથી તેમને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ લવ અગ્રવાલે જણાવ્યુ, ભારતીય રેલવે હેઠળ ખાદ્ય વસ્તુઓ, ખાંડ, મીઠુ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી જરૂરી વસ્તુઓનુ પરિવહન કરતા 1.25 લાખ વેગન છેલ્લા 5 દિવસોમાં સંચાલિત કરવામાં આવ્યા છે.

34,931 લોકોના ટેસ્ટ કર્યા
આઈસીએમઆરના આર ગંગા કેતકરે જણાવ્યુ કે રવિવાર સુધી અમે 34,931 લોકોના ટેસ્ટ કર્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ (ICMR) નેટવર્કમાં ક્ષમતાનો ઉપયોગ લગભગ 30 ટકા છે. અમે અમુક પ્રયોગશાળાઓમાં વધારો કર્યો છે. 113ને કાર્યાત્મક બનાવવામાં આવ્યા છે અને 47 ખાનગી પ્રયોગશાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 179 કેસ
ભારતમાં શનિવારે કોરોના વાયરસના એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 179 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવ ડૉક્ટર પીકે મિશ્રાની અધ્યક્ષતામાં ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. પીએમઓમાં બોલાવેલી આ બેઠકમાં કોરોના વાયરસથી ઉભી થયેલી ઈમરજન્સીની સ્થિતિ સામે લડવા માટે 10 ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
Under Indian Railways, 1.25 lakh wagons transporting essential commodities, such as food grains, sugar, salt, coal, petroleum, etc, have been operated in last 5 days: Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry. #COVID19 pic.twitter.com/DTexAek6Vr
— ANI (@ANI) March 29, 2020
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
