નિર્મલા સીતારમનનું મોટું એલાન, કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટ્યો
ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્વે શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમને મીડિયાને સંબોધન કર્યું હતું. નાણાં પ્રધાને સ્થાનિક કંપનીઓ અને નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નિર્મલા સીતારમને કહ્યું કે આવકવેરો કોઈપણ પ્રકારની છૂટ વિના 22 ટકા રહેશે. આ સાથે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સ ઘટાડવામાં આવશે.

કોઈ પણ છૂટ વિના 22 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે
નિર્મલા સીતારમને કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો નવી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને પણ લાગુ પડશે. કંપનીઓને હવે કોઈપણ છૂટ વિના 22% કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે. સરચાર્જ સાથે અસરકારક કરનો દર 25.17 ટકા રહેશે. નાણાં પ્રધાને કહ્યું કે ઓક્ટોબર 2019 પછી રચાયેલી કંપનીઓને 15% ટેક્સ ભરવો પડશે. આના પર અસરકારક કરનો દર 17.01 ટકા રહેશે.
|
ઘરેલુ અને નવી કંપનીઓને મોટી રાહત
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, એવી કંપનીઓ માટે લઘુત્તમ વૈકલ્પિક ટેક્સ દર ઘટાડવામાં આવ્યો છે જે કોઈ છૂટનો લાભ નહીં લે. સરકારે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મેટ આપવાની છૂટ પણ આપી છે. તે જ સમયે નિર્મલા સીતારમનની આ ઘોષણા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે.
|
નાણામંત્રીના એલાન પણ શેરમાર્કેટમાં તેઝી
નિર્મલા સીતારમનની આ ઘોષણા પછી સેન્સેક્સે 900 પોઇન્ટનો સુધારો કર્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 250 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 37 હજારની ઉપર કારોબાર કરતા જોવા મળ્યો હતો અને નિફ્ટી પણ 11 હજારના સ્તરને સ્પર્શ્યો હતો.