Covid 19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 12194 નવા કેસ, 92 લોકોનાં મોત
Covid 19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 12194 નવા કેસ, 92 લોકોનાં મોત
કોરોનાવાયરસ સામે જંગ લડી રહેલા ભારત માટે રાહતના સમાચાર છે, દેશમાં સંક્રમણના મામલા ઘટી રહ્યા છે. રવિવારે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 12194 નવા મામલા આવ્યા બાદ કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 1,09,04,940 થઈ ગઈ છે, જ્યારે 92 લોકોના મોત થયાં છે. જે બાદ કુલ મોતની સંખ્યા 1 લાખ 55 હજાર 642 થઈ ગઈ છે. હાલ દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1 લાખ 37 હજાર 567 છે, જ્યારે 1 કરોડ 6 લાખ 11 હજાર 731 લોકો ડિસ્ચાર્જ થઈ ઘરે પરત પહોંચી ગયા છે અને અત્યાર સુધી કુલ 82 લાખ 63 હજાર 858 લોકોને કોરોનાવાયરસની વેક્સીન લગાવવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવો શરૂ કરી દેવાયો છે. શનિવારે મંત્રાલયે જાણકારી આપી કે 28 દિવસ પહેલાં જે લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો તેમનો બીજો ડોઝ આપવાનું કામ શરૂ કરી દેવાયું છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ રસીકરણ બાદ 27 લોકોનાં મોત થયાં અને 24 કલાકમાં 3 લોકોનાં મોત થયાં. જો સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રસીને કારણે એકેયનાં મોત નથી થયાં.
કેટલાં સેમ્પલ ટેસ્ટ થયાં?
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ગત 24 કલાક દરમ્યાન તેલંગાણા, ઓરિસ્સા, ઝારખંડ, પોંડીચરી, ચંદીગઢ, નાગાલેન્ડ, આસામ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, લદ્દાખ, મિઝોરમ, અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ત્રિપુરા, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ અને દમણ- દીવ તથા દાદરા નગર હવેલીમાં કોવિડ 19થી કોઈના મોત નથી થયાં. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સાંજે 6 વાગ્યા સુધી કુલ 80 લાખ 52 હજાર 454 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. જ્યારે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ ભારતમાં કાલ સુધી કોરોનાવાયરસ માટે કુલ 20,62,30,512 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે, જેમાંથી 6,97,114 સેમ્પલ કાલે ટેસ્ટ કરાયાં છે. મિઝોરમમાં ગત 24 કલાકમાં એકપણ કોરોનાનો કેસ સામે નથી આવ્યો. કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 4392 છે જેમાં 20 સક્રિય મામલા, 4363 ડિસ્ચાર્જ થઈ ચૂકેલા મામલા અને 9 મોત સામેલ છે.












Click it and Unblock the Notifications
