ક્રુઝ ડ્રગ્સ કેસ : NCB એ સમીર વાનખેડે સામે તપાસના આદેશ આપ્યા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ખંડણીની તપાસનો આદેશ આપ્યો છે. NCB એ સમીર વાનખેડે સામે આંતરિક તપાસના આદેશ આપ્યા છે.
નવી દિલ્હી : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ખંડણીની તપાસનો આદેશ આપ્યો છે. NCB એ સમીર વાનખેડે સામે આંતરિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના આદેશ NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DG) જ્ઞાનેશ્વર સિંહે આપ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે સામે તપાસ કરશે.
NCB એ આ મામલે કોર્ટમાં સોગંદનામું પણ દાખલ કર્યું
રવિવારે (24 ઓક્ટોબર) મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સેલે દાવો કર્યો છે કે, સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને છોડવા માટે 25 કરોડરૂપિયાની લાંચ માંગી હતી.
NCB એ આ મામલે કોર્ટમાં સોગંદનામું પણ દાખલ કર્યું છે. એનસીબીના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, સાક્ષીઓ પ્રતિકૂળ બનીગયા છે અને કેટલાક લોકો દ્વારા તપાસમાં છેડછાડ કરવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું સમીર વાનખેડે આ પદ પર યથાવત રહેશે?
NCB DG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું છે કે, "હું સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ પર નજર રાખી રહ્યો છું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સમીર વાનખેડેઆ પદ પર યથાવત રહેશે?
જેના જવાબમાં ડીજી સિંહે કહ્યું, 'અત્યારે ટિપ્પણી કરવી બહુ વહેલી છે. અમે હમણાં જ તપાસ શરૂ કરી છે. મુંબઈ NCB અધિકારીઓએતપાસ એજન્સી સામેના આરોપો અંગે NCBના મહાનિર્દેશકને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્ઞાનેશ્વર સિંહ, જે એનસીબીના મુખ્યતકેદારી અધિકારી પણ છે, તેમને વાનખેડે સામેની તકેદારી તપાસની આંતરિક તપાસ સોંપવામાં આવશે. સમીર વાનખેડે મંગળવારે (26 ઓક્ટોબર)ના રોજ સમીક્ષાબેઠક માટે દિલ્હી NCB હેડક્વાર્ટર પહોંચશે.
કોર્ટના દાવામાં એનસીબીનું સોગંદનામું : સાક્ષીને પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને તેના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેએ મુંબઈ ડ્રગ્સ કેસમાં સાક્ષીઓની ચૂકવણીના આરોપોને પગલે સેશન્સ કોર્ટમાં બેએફિડેવિટ દાખલ કરી છે.
સમીર વાનખેડેએ તેના સોગંદનામામાં કોર્ટને વિનંતી કરી છે કે, તેમને ધમકાવવાના પ્રયાસો અને તપાસમાં વિઘ્ન નાખવાના પ્રયાસો થઇ રહ્યાછે.
બીજી તરફ એનસીબીના સોગંદનામામાં સાક્ષીને જુબાની પરત ખેંચવાનો અને તપાસમાં છેડછાડ કરવા માટે કેટલાક વ્યક્તિઓ દ્વારા પ્રભાવનો ઉપયોગ કરવાનોઉલ્લેખ છે. એનસીબીએ સોગંદનામામાં કહ્યું કે, સાક્ષી પોતાની જુબાની બદલી રહ્યા છે.