For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, 24 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

ap-in-rain
હૈદરાબાદ, 5 નવેમ્બરઃતોફાન 'નીલમ'ના પ્રભાવ હેઠળ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે 24 લોકોના મોત નીપજ્યા છે. ઘણા વિસ્તારો વરસાદની ઝપેટમાં આવી ગયા છે. આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારમાં પ્રકૃતિનો કહેર જારી છે અને નાની નદીઓમાં પૂર આવતા ઘણા ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં નરસાપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 31 સેમી વરસાદ થયો, જ્યારે અમલાપુરમમાં 27, રાજામુંદરીમાં 25, યેલામનચિલીમાં 25 અને કોદેરુ 23 સેમી વરસાદ થયો છે.

અંદાજે બે લાખ હેક્ટર ખેતી બરબાદ થઇ ગઇ છે. રાજ્યમાં ઇમરજન્સી પ્રબંધન આયુક્ત ટીરાધાએ જણાવ્યું કે વરસાદની ઘટનાઓમાં 24 લોકોના મોત નીપજ્યા છે. તેમણે કહ્યું કે 86 રાહત શિબિર છે. જેમાં અંદાજે 68 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીમાં મુખ્ય સચિવ મિની મેથ્યૂને નિર્દેશ આપ્યું છે કે તમામ સંબંધિત વિભાગોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે અને પૂર તથા ભારે વરસાદની સ્થિતિ પર નજર રાખે.

અધિકારીઓએ જણાવ્યું કે 472 ઘર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યારે 718 ઘરોમાં આંશિક રીતે નુક્સાન પહોંચ્યું છે. 21 મવેશિયોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ ગયા છે.

English summary
At least 22 people have died in rain-related incidents in Andhra Pradesh as heavy rains continued to batter several regions under the aftermath of Cyclone Nilam, which lashed coastal regions in eastern India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X