'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન
સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન સામે આવ્યુ છે. સાથે જ મંત્રાલયે આ રીતની અફવાઓ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે.
સીમા વિવાદ વચ્ચે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેહનો પ્રવાસ કર્યો. આ દરમિયાન પરિસ્થિતિનુ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી. પીએમ મોદીએ જે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તેમાં જવાનોને ડ્રિપ લાગી હતી અને ના બેડ પાસે કોઈ ચિકિત્સા ઉપકરણો લાગેલા હતા. જેના પર વિપક્ષ સેના અને સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. હવે આ મામલે સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન સામે આવ્યુ છે. સાથે જ મંત્રાલયે આ રીતની અફવાઓ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે.

સંરક્ષણ મંત્રાલય મુજબ ભારતીય સેના પોતાના જવાનોને સૌથી સારી આરોગ્ય સેવા પૂરી પાડે છે. ગલવાન ઘાટથી પાછા આવ્યા બાદ કોરોના વાયરસના કારણે ઘાયલ જવાનોને ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા હતા જ્યાં પીએમ મોદીએ જવાનોની મુલાકાત લીધી હતી, તે 100 બેડની ક્ષમતાવાળા જનરલ કૉમ્પ્લેક્સ છે જે જનરલ હોસ્પિટલનો જ ભાગ છે. ક્વૉરંટાઈનમાં હોવાના કારણે જવાનો પાસે ચિકિત્સા ઉપકરણ દેખાતા નહોતા. આ પરિસરમાં થોડા દિવસો પહેલા સેના પ્રમુખે પણ ઘાયલ જવાનો સાથે મુલાકાત કરી હતી. એવામાં આ વાત એકદમ નિરાધાર છે કે પીએમ મોદીને મળાવવા માટે જવાનોને બેડ પર બેસાડવામાં આવ્યા હતા.
કોંગ્રેસ નેતાઓએ ઉઠાવ્યા હતા સવાલ
કોંગ્રેસ નેતા અભિષેક દત્તે પીએમ મોદીનો ફોટો પોસ્ટ કરીને લખ્યુ કે આ હોસ્પિટલ કેવી રીતે લાગી રહ્યુ છે, ના કોઈ ડ્રિપ, ડૉક્ટરની જગ્યાએ ફોટોગ્રાફર, બેડ સાથે કોઈ દવા નહિ, પાણીની બોટલ નહિ? તેમણે આગળ લખ્યુ કે ભગવાનનો શુકર છે કે આપણા વીર સૈનિકો એકદમ સ્વસ્થ છે. ભારત માતા કી જય. વળી, બીજી તરફથી કોંગ્રેસી નેતા સલમાન નિઝામીએ ટ્વિટર પર લખ્યુ કે જૂઠ બોલવા માટે જ પીએમ મોદીનો જન્મ થયો છે. પહેલા તે કહેતા હતા કે આપણા વિસ્તારમાં કોઈ આવ્યુ નથી. ત્યારબાદ ચીની હુમલામાં ઘાયલ જવાનો સાથે ફોટોશૂટ કરાવે છે. તેમણે કહ્યુ કે નિશ્ચિત રીતે મીડિયા તેમની ક્ષતિને નિયંત્રિત કરે છે પરંતુ મને લાગે છે કે આપણા વિસ્તાર અને સંપ્રભુતાને બહુ મોટુ નુકશાન પહોંચ્યુ છે.
There have been malicious and unsubstantiated accusations in some quarters regarding the status of the facility visited by the Prime Minister Narendra Modi during his visit to General Hospital at Leh on July 03: Ministry of Defence pic.twitter.com/9HfTxENrDL
— ANI (@ANI) July 4, 2020
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
