એમ્સ સિનિયર ડોક્ટરે ચોથે માળેથી કૂદીને આત્મહત્યા કરી
રાજધાની દિલ્હીના એમ્સમાં કાર્ય કરતા ડોક્ટરે એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા પોતાના ફ્લેટની બાલ્કનીથી કૂદીને આત્મહત્યા કરી.
રાજધાની દિલ્હીના એમ્સમાં કાર્ય કરતા ડોક્ટરે એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા પોતાના ફ્લેટની બાલ્કનીથી કૂદીને આત્મહત્યા કરી. મંગળવારની રાત્રે એમ્સના સિનિયર ડોક્ટરે ગૌતમ નગર વિસ્તારમાં આવેલા પોતાના ફ્લેટની બાલ્કનીથી છલાંગ લગાવી. પોલીસને આ મામલે હજુ સુધી કોઈ પણ સુસાઇટ નોટ નથી મળી પરંતુ તેમનું કહેવું છે કે ડોક્ટરની તેમની પત્ની સાથે લડાઈ થઇ હતી.
પોલીસ અનુસાર મનીષ શર્માનો તેમની પત્ની તૃપ્તિ સાથે ઝગડો થયો હતો, જે પીજીઆઈ ચંડીગઢમાં ડોક્ટર છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના રહેવાસી મનીષા શર્મા પોતાના બે સહયોગીઓ સાથે બિલ્ડિંગના ચોથા માળે રહેતા હતા. મનીષ શર્માના 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની તૃપ્તિ ક્યારેક ત્યાં આવતી હતી.
આ પણ વાંચો: રિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા
પોલીસ અનુસાર બંને વચ્ચે ઝગડા થતા હતા ડીસીપી કુમાર અનુસાર તેઓ હંમેશા એકબીજાના ફોન ચેક કરતા હતા કે તેઓ કોની સાથે વાતો કરે છે. તેને કારણે બંને વચ્ચે હંમેશા ઝગડા ચાલ્યા કરતા હતા. મંગળવારની રાત્રે મનીષ શર્માએ ઉંગની ગોળીઓ પણ લીધી હતી. બંને વચ્ચે ઝગડો શરુ થયો. ત્યારે શર્માના સાથી અને આસપાસના લોકોએ વચ્ચે પડીને બચાવ કર્યો. તેના થોડા સમય પછી ફરી બંનેમાં ઝગડો શરુ થઇ ગયો. તે દરમિયાન મનીષા શર્માએ બાલ્કનીથી છલાંગ લગાવી દીધી. પોલીસે કહ્યું કે કેટલાક લોકોએ મનીષને બાલ્કનીથી છલાંગ લગાવતો જોયો હતો.
આ પણ વાંચો: પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની