દિલ્હી માટે છ દિવસથી ભૂખ હડતાળ પર છે કેજરીવાલ
નવી દિલ્હી, 28 માર્ચઃ હોલીના દિવસે લાખો દિલ્હીવાસી રંગોના જશ્નમાં ડુબેલા હતા, તો બીજી તરફ યોગ્ય ભાવે ઇલેક્ટ્રિસિટી અને પાણી મળે તે માટે જંગ લડી રહેલા અરવિંદ કેજરીવાલ ભૂખ હડતાળ પર છે. જી હાં, કેજરીવાલના અનશનને આજે છઠ્ઠો દિવસ છે. તેમને ડાયાબિટિઝ છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
રાજધાનીમાં ઇલેક્ટ્રિસિટીના ભાવ વધવા અને વધુ કિંમતે વેચાઇ રેહલા પાણી વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ અનશન પર બેઠાં છે. તેમણે અનશન દરમિયાન દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે તે આ મહિને વિજળી અને પાણીનું બીલ ભરે નહીં, કારણ કે જ્યાં સુધી જનતા પૈસા આપતી રહેશે, ત્યાં સુધી સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગતથી લોકોને મુર્ખ બનાવવાનું કામ જારી રહેશે.
આ અંગે કેજરીવાલે કહ્યું છે કે, મને રાજકીય પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. અમે અમારી પાર્ટીની રચના કરતી વખતે કહ્યું હતું કે હવે રાજનીતિ કરવાની પ્રક્રિયામાં ફેરબદલ આવશે. જેથી કોંગ્રેસ-ભાજપની રાજનીતિ પર અમે કોઇ ટિપ્પણી નહીં કરીએ. કેજરીવાલે વધારે કહ્યું કે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી લડતો રહીશ. દેશ માટે મરી પરવારવાનું સૌભાગ્યની વાત થાય છે.
હવે જોવાનું એ છે કે શીલા દીક્ષિત કેજરીવાલે આ અનશન આગળ ઝુકે છે કે નહીં, કે પછી તે બળ પ્રયોગ કરી કેજરીવાલને હોસ્પિટલ પહોંચાડશે.