વરમાળાની રસમ દરમિયાન દુલ્હનને ગોળી વાગી, ઉપચાર પછી થયા ફેરા
દિલ્હીના શકરપુરમાં સ્ટેજ પર બેસેલી દુલ્હનને અજ્ઞાત વ્યક્તિએ ગોળી મારી દીધી. ગોળી દુલ્હનના પગ પર વાગી ઉપચાર માટે દુલ્હનને હોસ્પિટલ લઇ જવામાં આવી.
દિલ્હીના શકરપુરમાં સ્ટેજ પર બેસેલી દુલ્હનને અજ્ઞાત વ્યક્તિએ ગોળી મારી દીધી. ગોળી દુલ્હનના પગ પર વાગી ઉપચાર માટે દુલ્હનને હોસ્પિટલ લઇ જવામાં આવી. ઉપચાર પછી દુલ્હનને રજા આપવામાં આવી, ત્યારપછી લગ્નની વિધિ શરુ કરવામાં આવી. દુલ્હાએ કહ્યું કે જે સમયે તેઓ સ્ટેજ પર બેઠા હતા ત્યારે અચાનક તેમની પત્ની પૂજાના પગ પર ગોળી વાગી. ગોળી ચલાવનાર કોણ હતો તેના વિશે હજુ સુધી કોઈ પણ માહિતી નથી મળી. ગોળી જાણીજોઈને મારવામાં આવી કે પછી ખુશીમાં ભૂલથી ફાયરિંગ થઇ તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, 'વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો
ગોળી વાગવાથી સ્ટેજ પર જ પડી દુલ્હન
ગુરુવારે મોડી રાત્રે દુલ્હા અને દુલ્હન વરમાળા માટે સ્ટેજ પર હતા. તે દરમિયાન અચાનક કોઈએ ગોળી ચાલવી, જે દુલ્હન પૂજાના પગમાં વાગી. ગોળી વાગતા જ દુલ્હન સ્ટેજ પર પડી ગઈ. જલ્દી જલ્દી પરિજનો દુલ્હનને લઈને હોસ્પિટલ પહોંચ્યા.
પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી
દુલ્હનને ગોળી વાગ્યા પછી પોલીસને તેની જાણકારી આપવામાં આવી. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર લગભગ રાત્રે 12 વાગ્યે વરમાળાની રસમ દરમિયાન દુલ્હનને ગોળી વાગી. દિલ્હી પોલીસે આઇપીસી ઘ્વારા 326 અને આર્મ્સ એક્ટ-25 હેઠળ આખો મામલો નોંધી લીધો છે.
ઉપચાર પછી ફેરા થયા
ગોળી વાગ્યા પછી પરિજનો દુલ્હનને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેને ઉપચાર પછી રજા આપવામાં આવી. ત્યારપછી દુલ્હન ફરી મંડપમાં આવી અને લગ્નની વિધિઓ પુરી કરવામાં આવી. ગોળી ચલાવનાર કોણ હતો તેના વિશે હજુ સુધી કોઈ પણ માહિતી નથી મળી.