દિલ્લીવાળાને ઘરે બેઠા મળશે રાશન, HCએ કેજરીવાલ સરકારની હોમ ડિલીવરી યોજનાને આપી મંજૂરી
દિલ્લી સરકાર રાજધાનીમાં દારુની હોમ ડિલીવરી બાદ હવે ઘરે-ઘરે રાશનની પણ ડિલીવરી કરી શકે છે.
નવી દિલ્લીઃ દિલ્લી સરકાર રાજધાનીમાં દારુની હોમ ડિલીવરી બાદ હવે ઘરે-ઘરે રાશનની પણ ડિલીવરી કરી શકે છે. શુક્રવારે દિલ્લી હાઈકોર્ટે કેજરીવાલ સરકારની ઘર-ઘર રાશન પહોંચાડવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ પહેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણી વાર આરોપ લગાવી ચૂક્યા છે કે કેન્દ્ર સરકાર તેમના રાશનની હોમ ડિલીવરી યોજનાને મંજૂરી નથી આપી રહ્યા. આ મામલે ન્યાયાલયમાં ગયા બાદ હવે દિલ્લી સરકારને રાશનની હોમ ડિલીવરી કરવાની મંજૂરી મળી ગઈ છે.
દિલ્લી હાઈકોર્ટે દિલ્લી સરકારની વર્તમાન સાર્વજનિક વિતરણ પ્રણાલી(પીડીએસ) વિતરકો કે યોગ્ય મૂલ્યની દુકાન(એફએસપી)ના માલિકોની આપૂર્તિને રાષ્ટ્રીય રાજધાનીમાં રાશનની હોમ ડિલીવરી માટે ડાયવર્ટ કરવાની અનુમતિ આપી દીધી છે. જસ્ટીસ વિપિન સાંઘી અને જસમીત સિંહની ડિવીઝન બેંચે 22 માર્ચ, 2021ના રોજ આપેલા આદેશમાં ફેરફાર પણ કર્યો છે જેણે દિલ્લી સરકારને વર્તમાન પીડીએસ વિતરકોને ખાદ્યાન્ન અને લોટની આપૂર્તિને રોકવા કે ઘટાડવાથી રોકી દીધા હતા.
હાઈકોર્ટે દિલ્લી સરકારને કહ્યુ કે તે પહેલા પ્રત્યેક એફપીએસ વિતરકોને તેના રાશન કાર્ડધારકોના વિવરણ વિશે એક સૂચના જાહેર કરે જેમણે પોતાના દરવાજા પર રાશન મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવે કે તેમને હોમ ડિલીવરી આપવી જોઈએ કે નહિ. અદાલતે સરકારની આ દલીલ પર ધ્યાન આપ્યા બાદ પોતાના પહેલાના આદેશમાં સુધારો કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે મોટી સંખ્યાએ બધા પીડીએસ કાર્ડધારકોને વિકલ્પ શોધવા માટે પોતાના દરવાજે રાશનની આપૂર્તિનો વિકલ્પ પસંદ કર્યો છે.
સરકારે અદાલતને એ પણ કહ્યુ છે કે દિલ્લી સરકારી રાશન ડીલર્સ સંઘના સભ્યોને આપૂર્તિમાં ઘટાડો કરવો પડશે જેમણે નવી યોજના હેઠળ લોકોને રાશનની હોમ ડિલીવરી કરી છે. દિલ્લી સરકારે એ પણ કહ્યુ કે જે લોકો રાશનની ડોરસ્ટેપ ડિલીવરીનો વિકલ્પ પસંદ કરે છે તો પણ તેમની પાસે એક વાર ફરીથી જૂની પ્રણાલી હેઠળ રાશન લેવાનો પણ વિકલ્પ હશે.
The Delhi High Court has given green signal to the Delhi Government to divert ration delivery to cardholders at doorsteps if there is no shortage in fair price shops.
— ANI (@ANI) October 1, 2021
The Division Bench of Justices Vipin Sanghi and Jasmeet Singh modified its order on March 22, 2021. pic.twitter.com/rZAya6lk4L