એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા
દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી તેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી તેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના દિલ્હીના વસંતકુંજ કિસનગર વિસ્તારની છે. આ ઘટનામાં એક વ્યક્તિ ખુબ જ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો છે જયારે ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે. ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી આ બાબતે કોઈ જ જાણકારી નથી મળી કે આ ઘટના પાછળ કયું કારણ છે.
મળતી જાણકારી અનુસાર કિશનગઢ ગામમાં પતિ-પત્ની અને દીકરીની હત્યા કરી દેવામાં આવી છે, જયારે દીકરો ખુબ જ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો છે. પોલીસે જણાવ્યું કે તેમને આ ઘટના અંગે સવારે 5 વાગ્યે જાણકારી મળી. જયારે પાડોશીએ જોયું કે ઘરના દરવાજાથી લોહી વહી રહ્યું છે. પાડોશીએ ઘરના દરવાજેથી લોહી વહેતુ જોઈને દરવાજો ખોલ્યો. પોલીસ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરિવાર અહીં ત્રણ રૂમના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મિથિલેશ પોતાની પત્ની સિયા, દીકરી નેહા અને દીકરા સુરજ સાથે રહેતો હતો.
આ પણ વાંચો: માતાપિતાએ 15 વર્ષની દીકરીની હત્યા કરી, જાણો કારણ