દિલ્લી હિંસાઃ તાહિર હુસેનની લાયસન્સવાળી બંદૂક, કારતૂસોને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા
દિલ્લી હિંસા દરમિયાન આઈબી અધિકારી અંકિત શુક્લાની હત્યાના આરોપી આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ તાહિર હુસેનની લાયસન્સવાળી બંદૂક અને કારતૂસોને પોલિસે જપ્ત કરી લીધા છે.
દિલ્લી હિંસા દરમિયાન આઈબી અધિકારી અંકિત શુક્લાની હત્યાના આરોપી આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ તાહિર હુસેનની લાયસન્સવાળી બંદૂક અને કારતૂસોને પોલિસે જપ્ત કરી લીધા છે. દિલ્લી પોલિસના સૂત્રો મુજબ પિસ્તોલને ફોરન્સિક તપાસ માટે મોકલવા આવ્યા જેનાથી એ માલુમ પડી શકે કે આ પિસ્તોલમાંથી ફાયર થયુ છે કે નહિ. પોલિસે તાહિર હુસેનનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે.

તમને જણાવી દઈએ કે તાહિર હુસેન પર એસઆઈટીનો ગાળિયો કસાઈ રહ્યો છે. સાત દિવસના પોલિસ રિમાન્ડ પર ચાલી રહેલ તાહિર હુસેનની ઘટનાના દિવસે કુંડળી ફંફોસવા પર શુક્રવારે કેસની તપાસ કરી રહેલા એસઆઈટીને ઘણી બધી માહિતી મળી છે. દિલ્લી પોલિસ ગુના શાખાના એક સૂત્ર અનુસાર ઘટનાવાલા દિવસે તાહિર હુસેન સૌથી વધુ જે લોકો સાથે વાતચીત કરી હતી, એસઆઈટીએ શુક્રવારે એ 15 લોકોની ઓળખ કરી લીધી. આ વાતચીત મોબાઈલ દ્વારા થઈ. તાહિરે આ બધા સાથે એ દિવસે એટલી વાર સુધી કેમ અને કઈ લાંબી વાતચીત કરી? આનો ખુલાસો થઈ શક્યો નથી.'












Click it and Unblock the Notifications
