વિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી
વસ્તાનવીએ કહ્યું હતું કે મુસલમાનોએ આ વખતે ગુજરાતમાં ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે તો તેનું કારણ એક મોટું કારણ વિકાસનો એજન્ડા છે. નરેન્દ્ર મોદીએ આ વખતે વિકાસના એજન્ડાને આગળ વધાર્યો છે અને કદાચ આના કારણે મુસલમાનોએ ભાજપને વોટ આપ્યો છે, બધા લોકો વિકાસ ઇચ્છે છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહેલા વસ્તાનવીએ કહ્યું હતું કે મીડીયામાં સમાચાર આવ્યાં હતા કે મુસલમાનોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે. લગભગ 20 સીટો ભાજપે એવી જીતી છે જ્યાં મુસલમાનોની સંખ્યા વધારે છે. 2002ના કોમી રમખાણો અને આ ચુંટણી બંને 'ડિફરન્ટ કેસ' છે. જો મુસલમાનોએ ભાજપને મત આપ્યાં છે તો તેનો મતલબ એ નથી કે તેમને નરેન્દ્ર મોદીને માફ કરી દિધા છે.
સ્થાનિક કક્ષાની ચુંટણીમાં ભાજપ દ્રારા 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હોવાનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે 'નગર પાલિકાની ચુંટણીમાં ભાજપે 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હતી. તેની પણ અસર છે. આ લોકોએ ભાજપને જીતાડવાનો પ્રયત્ન કર્યો હશે.