For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતિ બતાવવા પર દિગ્વિજય સિંહનો હુમલો- ‘જય બજરંગબલી તોડ દે એસે લોગો કી નલી'

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ભગવાન હનુમાનની જાતી બતાવવા અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ભગવાન હનુમાનની જાતી બતાવવા અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે, 'અમે તો ભગવાન હનુમાનને ભગવાનનો અવતાર માનીએ છીએ અને ભાજપવાળા તેમને દલિત, મુસલમાન અને જાટ ગણાવે છે.' દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ભાજપ નેતા ગણ આ કયા ધર્મનું પાલન કરી રહ્યા છે? ભાજપના મુખ્યમંત્રી હનુમાનને દલિત ગણાવે છે, ભાજપના વિધાન પરિષદના સભ્ય તેમને મુસલમાન ગણાવે છે અને ભાજપના મંત્રી તેમને જાટ. દિગ્વિજયે લખ્યુ કે અમે તો તેમને ભગવાનનો અવતાર માનીએ છીએ. જય બજરંગ બલી તોડ દે એસે લોગો કી નલી.'

digvijay singh

તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવરમાં એક રેલીને સંબોધિત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે 'બજરંગબલી એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે. ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે.' આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બુક્કલ નવાબે હનુમાનજીને મુસલમાન ગણાવી દીધા.

બુક્કલ નવાબે કહ્યુ કે 'હનુમાનજી મુસલમાન હતા એટલા માટે મુસલમાનોમાં જે નામ રાખવામાં આવે છે - રહેમાન, રમજાન, ફરમાન, જીશાન, કુર્બાન - જેટલા પણ નામ રાખવામાં આવે છે તે લગભગ તેમના પર જ રાખવામાં આવે છે.' બુક્કલ નવાબ કહે છે કે લગભગ 100 એવા નામ છે જે હનુમાનજી પર જ આધારિત છે. હિંદુ ભાઈ હનુમાનજીનું નામ રાખી લેશે પરંતુ સુલ્તાન નહિ મળે, અરમાન, રહેમાન, રમજાન નહિ રાખી શકે.

આ પણ વાંચોઃ Video: સામે આવ્યુ આપનું જૂઠ, સંકલ્પમાં શામેલ હતો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવઆ પણ વાંચોઃ Video: સામે આવ્યુ આપનું જૂઠ, સંકલ્પમાં શામેલ હતો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવ

English summary
Digvijay Singh hit back BJP leaders on telling Hanuman's caste.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X