નવી દિલ્હી, 20 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસીમાં ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટી મહાસચિવ દિગ્વિજય સિંહના નામ પર પાર્ટી હાઇકમાન વિચાર કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે દિગ્વિજય સિંહે જ આલાકમાન સમક્ષ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. માનવામાં આવે છે કે શુક્રવારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે વારાણસી સીટ પર પાર્ટી મજબૂત ઉમેદવાર ઉતારે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંહને વિદિશાથી પણ સુષમા સ્વરાજ વિરૂદ્ધ ચૂંટણી લડાવવાની વાત થઇ રહી છે.
દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશથી આવે છે અને ઉત્તર પ્રદેશના પ્રભારી પાર્ટી મહાસચિવ રહી ચૂક્યાં છે. જેથી તેઓ બંને પ્રદેશના રાજકારણને સારીપેઠે જાણી છે. વારાણસીમાં દિગ્વિજય સિંહની સાથે અજય રાય અને પૂર્વ સાંસદ રાજેશ મિશ્રાના નામો પર પણ ચર્ચા ચાલી રહી છે.