એક્ટ્રેસ ડોલી બિંદ્રારાએ કહ્યું રાધે માં મને મારી નાખવા માંગે છે!
પોતાને દુર્ગા માંનો અવતાર કહેનાર સ્વધોષિત ધર્મગુરુ રાધે માંના નામ પરથી વિવાદો દૂર થવાનું નામ જ નથી લેતા. ચારે તરફ ખાલી તેમના જ નામ પર વિવિધ વિવાદો સાંભળવા મળે છે. વળી પાનના ગલ્લાથી લઇને શોપિંગ મોલમાં લોકો પણ તેમની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આ તમામ વિવાદો બાદ હવે રાધે માં એક નવા વિવાદમાં ફસાયા છે.
આ વખતે તેમની પર જાનથી મારવાનો આરોપ લગાવ્યો છે તેમની પરમ ભક્ત રહી ચૂકેલી અભિનેત્રી ડોલી બિંદ્રાએ. એટલું જ નહીં તેણે પોલિસને ચિઠ્ઠી લખીને આ મામલે ફરિયાદ પણ કરી છે. ડોલીએ મલાડ પોલિસને જણાવ્યું કે તેને 10 ઓગસ્ટથી લગાતાર ધમકી ભરેલા ફોન કોલ્સ આવી રહ્યા છે. જેમાં તેને મારી નાંખવાની ધમકી પણ મળી રહી છે.
વળી ડોલીએ કહ્યું છે કે રાધે માંથી તેને અને તેની ફેમિલની ખતરો છે. અને તેણે આ અંગે સુરક્ષાની માંગ પણ કરી છે. ડોલીનું કહેવું છે કે આની પાછળ રાધે માં કે સંજીવ ગુપ્તાના પરિવારનો હાથ હોઇ શકે. નોંધનીય છે કે ડોલી બિંદ્રા રાધેમાંની મોટી ભક્ત રહી ચૂકી છે. અને અનેક પ્રસંગે તે રાધે માં સાથે નજરે પણ આવી ચૂકી છે.
જો કે આ બધા પછી ડોલીનું કહેવું છે કે રાધે માં ધર્મની દુકાન ચલાવી રહી છે. જો કે રાધેમાં પોતાને આ વિષય પર પોતાને નિર્દોષ જણાવતા કહ્યું કે તેમની વિરુદ્ધ કાવતરું કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે રાધેમાં પર અત્યાર સુધી દહેજ ઉત્પીડન, અશ્લિલતા ફેલવા અને આત્યહત્યા માટે પ્રેરિત કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.