જલંધરમા દારૂડિયાનો હંગામો, જાગરણમાં પવિત્ર જ્યોતિ ઓલવવાની કોશિશ કરી!
પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાક સમયથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. પહેલા હત્યા અને ત્યારબાદ હવે દારૂડિયાઓ લોકોને ત્રાસ આપી રહ્યા છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.
પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને લઈને છેલ્લા કેટલાક સમયથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. પહેલા હત્યા અને ત્યારબાદ હવે દારૂડિયાઓ લોકોને ત્રાસ આપી રહ્યા છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, જલંધરના શહીદ બાબુ લાભ સિંહ નગરમાં રવિવારે માતાજીના જાગરણ દરમિયાન નશામાં ધૂત કેટલાક લોકોએ હંગામો કર્યો હતો. વાત માત્ર હંગામાથી અટકી ન હતી, દારૂડિયાઓએ કૃપાણ અને અન્ય હથિયારો સાથે જાગરણની પવિત્ર જ્યોતને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જમાવ્યા અનુસાર, આ દારૂડિયાઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને વિરોધ કરવા પર લોકોએ મારપીટ પણ કરી હતી.
રિપોર્ટ અનુસાર, આ મારપીટમાં કેટલીક મહિલાઓને ઈજા થઈ છે. બબાલ થયા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
In Jalandhar,Punjab Mata's Jagrata was attacked by radicals with ‘Kirpan’. Some of the Hindu women got hurt during the attack.
— Āryā_Anvikṣā (@Arya_Anviksha_) November 13, 2022
Law & system has become a joke in the state, especially when incidents are happening in presence of police. pic.twitter.com/Z3koumuJ5X
આ બાબતે વાત કરતા સ્થાનિક લોકોએ જણાવ્યુ કે, કેટલાક બદમાશો કૃપાણ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ભજન-કીર્તનની વચ્ચે હંગામો મચાવ્યો હતો. આ દારૂડિયાએ ત્યાં હાજર લોકો પર પણ હુમલો કર્યો. સદનસીબે કોઈ જાન જાનહાનિ થઈ નથી પરંતુ કેટલીક મહિલાઓને ઈજા થઈ છે. નશામાં ધૂત આ યુવકોએ માતાની પવિત્ર જ્યોત પર કૃપાણ પણ ફેંક્યા હતા. જે બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આખરે પોલીસે આવીને જાગરણ ફરી શરૂ કરાવ્યુ હતુ અને આરોપીઓને પકડવાની બાહેધરી આપી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
