જમ્મુ કાશ્મીરના કુલગામમાં એનકાઉન્ટર, ચૌગામમાં 5 આતંકીઓ ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામના ચૌગામમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકીઓ ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામના ચૌગામમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકીઓ ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી જાણકારી આપવામાં આવી છે તે મુજબ એનકાઉન્ટર અત્યારે ચાલુ છે અને બે આતંકવાદીઓ ફસાયા હોવાની જાણકારી છે. એનકાઉન્ટરના કારણે બારમૂલા અને કાજીગુંડ વચ્ચે ટ્રેન સર્વિસને રોકી દેવામાં આવી છે. ઈન્ટેલીજન્સ બાદ સુરક્ષાબળો તરફથી સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
શ્રીનગરથી 71 કિલોમીટર દૂર એનકાઉન્ટર
જે જગ્યાએ એનકાઉન્ટર થઈ રહ્યુ છે તે જગ્યા રાજધાની શ્રીનગરથી 72 કિલોમીટર દૂર છે. આ પહેલા ગુરુવારે નોર્થ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મુ કાશ્મીર પોલિસના આઈજીપી એસપી પાણી તરફથી આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકી ઠાર મરાયા છે અને એનકાઉન્ટર ચાલુ છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો યથાવત, જાણો શું છે ભાવ
A huge success for Police and security https://t.co/uuE58IFiES was a combo of HM and LeT terrorists.Most of them were involved in a series of terror acts including killing of 2 bank employees and many policemen.Also involved in bank robberies and weapon looting.
— J&K Police (@JmuKmrPolice) 15 September 2018
જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આ એનકાઉન્ટર પોલિસ અને સુરક્ષાબળો માટે મોટી સફળતા છે. પોલિસ તરફથી આપેલી જાણકારી મુજબ માર્યા ગયેલા આતંકી હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબા સાથે સંબંધિત હતા. આ આતંકી બે બેંક કર્મીઓની હત્યા ઉપરાંત ઘણા વધુ આતંકી ષડયંત્રો અને ઘણા પોલિસ કર્મીઓની હત્યામાં પણ શામેલ હતા. આ ઉપરાંત બેંક લૂટ અને હથિયારોની લૂટમાં પણ તે શામેલ હતા. બધા આતંકવાદીઓ કુલગામના જ રહેવાસી હતા.
આ પણ વાંચોઃ ચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવા