શ્રીનગર: એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ અત્યારસુધીમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે જયારે એક પોલીસકર્મી પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે. જયારે સોમવારની રાત્રે આતંકીઓએ પુલવામાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે આતંકીઓએ સોમવારે સુરક્ષાકર્મીઓના કેમ્પ પર ગોળીબારી કરી હતી, જેનો જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. ઘાયલ થયેલા જવાન અમિત કુમાર અને સંતોષ ભારતીને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
#JammuAndKashmir: Encounter underway between security forces & terrorists in Fateh Kadal area of Srinagar. More details awaited. pic.twitter.com/T8tfL5Wu55
— ANI (@ANI) October 17, 2018