For Daily Alerts
તમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટના બૉઈલરમાં બ્લાસ્ટ, 4ના મોત, 13 ઘાયલ
તમિલનાડુના નેયવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ છે.
તમિલનાડુના નેયવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ છે. પ્લાન્ટમાં બૉઈલર ફાટવાથી થયેલ બ્લાસ્ટમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 13 ઘાયલ થયા છે. સ્ટેજ-2નુ આ બૉઈલર ફાટવાથી આ ધમાકો થયો છે. બ્લાસ્ટમાં ઘાયલ લોકોને એનએલસી લિગ્નાઈટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાનો પણ અંદેશો છે.
આ પ્લાન્ટ તમિલનાડુનુા કુડ્ડાલોર જિલ્લામાં છે. કુડ્ડાલોર સ્થિત આ પ્લાન્ટ ચેન્નઈથી 180 કિલોમીટર દૂર છે. પ્લાન્ટની પોતાની ફાયરબ્રિગેડ ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે કુડ્ડાલોર જિલ્લા પ્રશાસન પણ બચાવ દળ સાથે ઘટવા સ્થળે છે. દૂર્ઘટના વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી.
કોરોનાની અસર, આ વખતે નહિ સજે લાલબાગ ચા રાજાનો દરબાર
Comments
English summary
Explosion at boiler in Neyveli lignite plant in Tamil Nadu, 4 death, 13 injured
Story first published: Wednesday, July 1, 2020, 13:25 [IST]