શ્રીનગર, 28 એપ્રિલ: ફારૂક અબ્દુલાએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારના પક્ષમાં વોટ કરનારાઓને સમુદ્રમાં ડુબી જવું જોઇએના નિવેદનના એક દિવસ બાદ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ તેમનું કોઇ વેર નથી પરંતુ જમ્મૂ કાશ્મીર અને મુસ્લિમોને લઇને તેમના એજંડાને લઇને ચિંતિત છે.
તેમણે કહ્યું 'મોદી શું ઇચ્છે છે? અમે કેમ તેમના વિરૂદ્ધ કેમ છીએ? અમે વ્યક્તિગત રીતે તેમની વિરૂદ્ધ નથી, તેમના ઇરાદાઓ વિરૂદ્ધ છે.' નેશનલ કોંફ્રેસ અધ્યક્ષે ગંદેરબલ જિલ્લાના કંગલમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું 'તેમનો પ્રથમ ઇરાદો કલમ 370ને ખતમ કરવાનો છે જે અમને (જમૂ-કાશ્મીર)ને વિશેષ દરજ્જો આપે છે.' શ્રીનગર લોકસભા સીટ પરથી એનસી ઉમેદવાર અબ્દુલાએ કહ્યું કે કલમ 370ને ખતમ કરવાથી જમ્મૂ કાશ્મીરના લોકોને ક્યારેય સ્વિકાર્ય નહી હોય.
નેશનલ કોંફ્રેંસ અધ્યક્ષે કહ્યું 'તેનો (કલમ ખતમ કરવાનો)અર્થ છે કે અમારો ઝંડો ઉતારી દેવામાં આવશે, અમારું સંવિધાન ખતમ થઇ જશે અને અમે તેમના દાસ થઇ જઇશું. જમ્મૂ કાશ્મીરની જનતા ક્યારેય સ્વિકારશે નહી'. તેમણે કહ્યું કે મોદીના એજન્ડા પર બીજો મુદ્દો, ભાજપનો સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો છે જે મુસ્લિમો માટે ચિંતાનું કારણ છે.
અબ્દુલાએ કહ્યું 'બીજો મુદ્દો એકદમ ગંભીર છે. તે શરિયા કાનૂન (મુસ્લિમ પર્સનલ લૉ)ને નજર અંદાજ કરવા માંગે છે અને સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માંગે છે જે હિદુ, મુસ્લિમ, સિખ અને દરેક પર લાગૂ થશે. આ મુસ્લિમોને સ્વિકાર્ય નથી.' નેશનલ કોંગ્રેસ નેતાએ લોકોને સાંપ્રદાયિક તાકતોને હરાવવા અને ધર્મનિરપેક્ષ તાકતોને મજબૂત કરવા માટે કહ્યું.
તેમણે કહ્યું 'એક તરફ સાંપ્રદાયિક તાકાત છે અને બીજી તરફ જે તેમનો વિરોધ કરી રહ્યાં છે. હવે આ તમારા પર છે તમે સાપ્રદાયિક તાકાત અથવા ધર્મનિરપેક્ષ તાકાતોને મજબૂત કરવા માંગે છે.' અબ્દુલાએ કાલે એમ કહીને વિવાદ પેદા કરી દિધો કે નરેન્દ્ર મોદીને વોટ આપનારને સમુદ્રમાં ડુબી જવું જોઇએ. ત્યારબાદ ભાજપની સાથે જ તેના વડાપ્રધાન પદના ઉમેદવારે આકરી પ્રતિક્રિયા આપી હતી.