JNU વિવાદ કમિશ્નરે કહ્યું કન્હૈયા સામે છે પર્યાપ્ત પુરાવા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
JNU કેસની સુનવણી વખતે સુપ્રીમ કોર્ટે ઉઠ્યા વંદે માતરમના નારા
દેશદ્રોહના આરોપમાં ફસાયેલા જેએનયૂ વિદ્યાર્થીસંધના અધ્યક્ષ કન્હૈયા કુમારને આજે સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે આ કેસની સુનવણી વખતે સુપ્રીમ કોર્ટમાં રાજીવ યાદવ નામના એક વકીલે વંદે માતરમનના નારા લગાવતા જજે તેને પોલિસ હિરાસતમાં બહાર મોકલ્યો. જો કે જે બાદ લેખિતમાં માફી આપ્યા બાદ તેને છોડવામાં આવ્યો હતો.
JNU વિવાદ પોલિસ કમિશ્નરે કહ્યું કન્હૈયા સામે છે પર્યાપ્ત પુરાવા
જેએનયૂ મામલે દિલ્હીના પોલિસ કમિશ્નર ભીમસેન બસ્સીએ મીડિયાને કહ્યું કે પોલિસને જેએનયૂ વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ કન્હૈયા કુમારની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળ્યા છે. અને તે જ આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગૃહ મંત્રાલય પણ આ મામલા પર નજર રાખીને બેઠું છે.
વકીલો આજે ફરી કરી પત્રકારોની પટાઇ
પટિયાલા હાઉસ કોર્ટમાં આજે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ કન્હૈયા કુમારના કેસની સુનવણી વખતે આજે ફરી પત્રકારો અને વકીલોની વચ્ચે હાથફાઇ થઇ. નોંધનીય છે કે આ પહેલા પણ આવું થતા સુપ્રીમ કોર્ટે વકીલોને કાનૂન હાથમાં ના લેવાની સલાહ આપી હતી. પણ તેમ છતાં વકીલોએ કોર્ટનું ના સાંભળતા તપાસના આદેશ અપાયા છે.
નવાઝ શરીફે સ્વીકાર્યું, કારગિલ, પાક.ની સૌથી મોટી ભૂલ હતી.
પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે આજે પહેલી વાર તે વાત સ્વીકારી તે 1999માં કારગિલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ધુસણખોરી પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી. અને આમ કરીને તેમણે ભારતના તે વખતના વડાપ્રધાન વાજપાઇની પીઠમાં ખંજૂર ભોંક્યુ હતું. નોંધનીય છે કે આ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાનો શહીદ થયા હતા.