આરોપ ખોટા હોય તો કેજરીવાલ પર કેસ કરોઃ અણ્ણા
અણ્ણાએ કહ્યું કે, જો આ આરોપો ખોટા છે તો પછી શા માટે કાયદાકિય તપાસ નથી કરાતી. મારું કહેવું છે કે કાયદાકિય તપાસ કરવામાં આવે જેથી જે સત્ય છે તે બહાર આવી જશે. તેમણે કહ્યું કે વિશ્વ જાણે છે કે કોંગ્રેસમાં ઘણા નેતાઓ ખોટા છે અને તેઓ પોતાની વાત પરથી ફરી જાય છે. તેમણે કેજરીવાલનો પક્ષ પણ નહોતો ખેંચ્યો.
તેમણે કહ્યું છે કે, કેજરીવાલ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે, તો તપાસનો આદેશ આપો અને સાચી વસ્તુ બહાર લાવો. જો આ આરોપો ખોટા સાબિત થાય તો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરો.
નોંધનીય છે કે, એક પત્રકાર પરિષદમાં કેજરીવાલ અને ભુષણે વાઢેરા પર આરોપો લગાવ્યા હતા કે, 2007થી 2010 દરમિયાન તેમણે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. ડીલીએફ દ્વારા 65 કરોડની લોન કોઇપણ જાતના વ્યાજ વગર આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વાઢેરા અને તેમના માતા દ્વારા સંપત્તિ 50 લાખ દર્શાવવામાં આવી હોવા છતા પણ લોન આપવામાં આવી હતી.