દિલ્લીમાં ફટાકડા ફોડ્યા તો ખેર નથી!! થશે આટલી જેલની સજા અને દંડ
દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફટાકડા પર લાગુ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનારા સામે કડક નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફટાકડા પર લાગુ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનારા સામે કડક નિર્ણય કર્યો છે. ગોપાલ રાયે કહ્યુ છે કે આમ કરનારા સામે પ્રદૂષણની રોકથામ તેમજ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમ હેઠળ છ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. ગોપાલ રાયે સોમવારે દિલ્લીના સાતે જિલ્લાધિકારીઓ, દિલ્લી પોલિસ, પર્યાવરણ અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રતિબંધ લાગુ કરવાના માનકો પર ચર્ચા કરી.

મીડિયા સાથે વાતચીતમાં ગોપાલ રાયે કહ્યુ કે 'ચર્ચા મુજબ, પોલિસ વાયુ(પ્રદૂષણની રોકથામ તેમજ નિયંત્રણ) અધિનિયમ હેઠળ ફટાકડા પર લાગુ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનારા સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરી શકે છે.' તેમણે કહ્યુ કે આવા ગુનામાં દંડ લગાવવા અને ઓછામાં ઓછા દોઢ વર્ષથી લઈને મહત્તમ છ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. ગોપાલ રાયે કહ્યુ કે વિશેષજ્ઞો મુજબ સૂકુ ઘાસ બાળવાના કારણે દિવાળી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણનુ સ્તર 'ગંભીર'ની શ્રેણીમાં પહોંચવાની સંભાવના છે.
આ વખતે પ્રદૂષણ વધવાના આ પણ કારણો
અભિયાન ચલાવીને નથી હટાવાઈ વૃક્ષોની ધૂળ.
રસ્તાની ધૂળ હટાવવા માટે સપ્તાહમાં બે વાર નથી થઈ રહ્યુ ધોવાણ.
ધૂળ ઉડતી રોકવા માટે કેમિકલ યુક્ત પાણીનો છંટકાવ નહિ.
કાચા રસ્તાથી ઉડતી ધૂળને રોકવાના ઉપાય નહિ.
નિર્માણ ગતિવિધિઓમાં ધૂળ રોકવાના માનક પૂરા નહિ.
આ છે NCRના સૌથી પ્રદૂષિત શહેર(CPC મુજબ)
ગાઝિયાબાદ 456 (AQI)
ગ્રેટર નોઈડા 440 (AQI)
ગુરુગ્રામ 434 (AQI)
નોઈડા 428 (AQI)
દિલ્લી 416 (AQI)
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
