ભારત-પ્રશાંત ક્ષેત્રના પડકારો પર ચર્ચા માટે ક્વૉડની આજે બેઠક, વિદેશ મંત્રી જયશંકર લેશે ભાગ
નવી દિલ્લીઃ ભારત-જાપાન-અમેરિકા-ઑસ્ટ્રેલિયા(ક્વૉડ)ની ત્રીજી મંત્રી સ્તરીય બેઠક 18 ફેબ્રુઆરીએ થશે. આ બેઠકમાં ચારે દેશોના વિદેશ મંત્રી ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠકનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્રીય અને વૈશ્વિર મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવાનો છે. આ બેઠકમાં મુખ્ય રીતે ભારત-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી બનાવી રાખવાની દિશામાં સહયોગ પર ચર્ચા કરવામાં આવશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં જળવાયુના પડકારો, જળવાયુ પરિવર્તન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ માટે ગુરુવારે અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકન અને જાપાન તેમજ ઑસ્ટ્રેલિયાના અન્ય સમકક્ષો સાથે ચર્ચા કરશે. આ પહેલા ગયા સપ્તાહે વિદેશ મંત્રીએ બ્લિંકન સાથે વાતચીત કરીને ભારત-પ્રશાંત ક્ષેત્રના વિકાસ પર ચર્ચા કરી હતી. ચીનની વધતી શક્તિઓનો મુકાબલો કરવા રૂપે જોવાતા ચાર દેશોના ક્વૉડ સમૂહની આ બેઠક વર્ચ્યુઅલ થશે.
વળી, આ બેઠક માટે ઑસ્ટ્રેલાઈ સરકારે ટ્વિટ કરીને કહ્યુ, 'વાતચીત આપણા દેશોને સુરક્ષિત અને સમૃદ્ધ ક્ષેત્રમાં સંયુક્ત હિતોને આગળ વધારવાની મંજૂરી આપશે. ક્વૉડનો સકારાત્મક એજન્ડા આપણને ઘણા ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારવામાં સક્ષમ કરશે જેમાં કોવિડના આર્થિક અને આરોગ્ય પ્રભાવોમાંથી બહાર નીકળતા ક્ષેત્રોનુ સમર્થન કરવુ શામેલ છે.'
એક અન્ય ટ્વિટ દ્વારા ઑસ્ટ્રેલિયાઈ સરકારે કહ્યુ, 'ક્વૉડ ઑસ્ટ્રેલિયાના આંતરિક એજન્ડાનો એક મુખ્ય સ્તંભ છે અને આસિયાન સાથે અમારા દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને બહુપક્ષીય જોડાણનુ પૂરક છે. ક્વૉડ પાર્ટનર એક ક્ષેત્રની અંદર આસિયાન કેન્દ્રીયતાના પ્રબળ સમર્થક છે જેમાં બધા દેશ સંપ્રભુ, સ્વતંત્ર અને લચીલા છે.' ગયા વર્ષે ઓક્ટોબરમાં ટોકિયોમાં થયેલી બેઠક બાદ ક્વૉડનીઆ ત્રીજી બેઠક છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 12881 નવા કેસ, 101 લોકોના મોત