પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ને રૂટિન ચેકઅપ માટે અહીં લાવવામાં આવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ને રૂટિન ચેકઅપ માટે અહીં લાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફ થી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ડોક્ટરો ઘ્વારા કેટલીક જાંચ માટે તેમને એમ્સમાં લાવવા માટે સલાહ આપવામાં આવી હતી. ત્યારપછી તેમને અહીં એડમિટ કરવામાં આવ્યા.
છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ છે. કેટલાક સમય પહેલા એવું પણ થયું હતું કે તેમના મૃત્યુ વિશે અફવાહ પણ ઉડી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ થી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ પણ અફવાહ પણ ધ્યાન આપશો નહીં. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે સાંજે 8 વાગ્યે તેમને રજા પણ આપી દેવામાં આવશે.
94 વર્ષના અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત કરનાર નેતાઓમાં આવે છે. તે બે વાર ભારતના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેઓ ખુબ જ સારા હિન્દી કવિ પણ છે.