શશિ થરુરના ‘હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર હામિદ અનસારીનો જવાબ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના ‘હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના 'હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે મે વાંચ્યુ નથી કે એમણે શું કહ્યુ છે? શશિ થરુર ભણેલા-ગણેલા વ્યક્તિ છે અને તેમણે કહ્યુ છે તો સમજી વિચારીને જ કહ્યુ હશે. હામિદ અનસારીએ કહ્યુ કે શશિ થરુરને પોતાનો નિર્ણય લેવાનો અધિકારી છે. આ દરમિયાન તેમણે દેશની હાલની સ્થિતિ પર અને અલગ અલગ મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી.
મોબ લિંચિંગ મામલે બોલ્યા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ દેશમાં ઝડપથી વધી રહેલ મોબ લિંચિંગ મામલે કહ્યુ કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. દેશમાં એક કાયદો વ્યવસ્થા છે જે કામ કરે છે. હામિદ અનસારીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી' ના વિચારનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે આ ભારતીય લોકતંત્ર પર હુમલો છે. ભારત વિવિધતાઓનો દેશ છે અને જ્યારે આટલા મોટા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત થાય છે ત્યારે અસંભવ વિચાર લાગે છે.
શશિ થરુરને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર
શરિયા કોર્ટ અંગે હામિદ અનસારીએ કહ્યુ કે લોકો કાયદો વ્યવસ્થા સાથે સામાજિક પ્રથાઓ ભ્રમિત કરી રહ્યા છે. આપણો કાયદો માન્યતા આપે છે કે પ્રત્યેક સમુદાય પોતાના નિયમ હોઈ શકે છે. ભારતમાં પર્સનલ લૉ વિવાહ, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાને કવર કરે છે. પ્રત્યેક સમુદાયને પોતાના પર્સનલ લૉ સાથે રહેવાનો અધિકાર છે.
ટ્વિટર જોઈન કરવા પર શું કહ્યુ હામિદ અનસારીએ
હામિદ અનસારીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે ભવિષ્યમાં ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવશે. તેના પર તેમણે કહ્યુ કે મારો ટ્વિટર એકાઉન્ટ જોઈન કરવાનો કોઈ ઈરાદો નથી. ટેકનોલોજીના ટર્મમાં કહુ તો હું હજુ પણ 20 મી સદીનો માણસ છું. મારી પાસે કમ્પ્યુટર અને પુસ્તકો છે જેની સાથે હું પોતાને ખુશ અનુભવુ છુ.