ગડકરી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું: વૈદ્ય
કેટલાક અનુમાનોના આધારે એમજી વૈદ્યએ લખ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ નહોતા ઇચ્છતા કે ગડકરીને ફરી અધ્યક્ષ બનાવવામાં આવે, જેના કારણે ભાજપના એ નેતાઓએ સરકાર સાથે મળીને પૃર્તિ ગ્રુપ ઉપર ઇનકમ ટેક્સ રેડનું ષડયંત્ર રચ્યું હતું.
એમજી વૈદ્યએ પૂછ્યું કે આખરે ઇનકમ ટેક્સની રેડ એ સમયે જ કેમ પાડવામાં આવી જ્યારે ભાજપ અધ્યક્ષની ચૂંટણી નજીક હતી. તેમણે જેઠમલાણી, યશંવત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા પર આરોપ લગાવ્યો કે ગડકરી પર દોષસિદ્ધ થતા પહેલા જ તેમને આરોપી જાહેર કરી દીધા હતા.
નોંધનીય છે કે, ગડકરીને બીજી વખત ભાજપના અધ્યક્ષ પદ પર યથાવત રાખવાના મુદ્દે ભાજપમાં જબરો વિવાદ થયો હતો અને પક્ષમાં અંદર જ આટલો બધો વિવાદ થતાં આખરે ગડકરીએ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ રાજનાથ સિંહને સર્વનુમતે પક્ષના અધ્યક્ષ ધોષિત કરવામાં આવ્યા હતા, તેમ છતાં હજુ પણ એ વિવાદ થમ્યો નથી.