મા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો
મા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો
બિહારઃ શેખપુર જિલ્લાના અરિયરી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલચોડ ગામ પાસે રવિવારે એક સાધ્વી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શેખપુરા મહિલા પોલીસ સ્ટેશન અધ્યક્ષ યશોદા દેવીએ જણાવ્યું કે સાધ્વી સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા ચાર આરોપીઓમાંથી બે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના રહેવાસી છે. પીડિત પણ તે ગામની જ રહેવાસી છે. તેમણે જણાવ્યું કે પીડિતા પાડોસી નવાદા જિલ્લાના પ્રયટક સ્થળ કકોલતમાં પોતાના સહયોગિઓ સાથે એક આશ્રમમાં રહેતી હતી. પીડિત સાધ્વીએ આોપ લગાવ્યો કે તેના ગામના બે શખ્સ પોતાના અન્ય બે સહયોગિઓ સાથે રવિવારે આશ્રમ પહોંચી આવ્યા હતા અને તેમની મા બીમાર હોવાની સૂચના આપી.
યશોદાએ જણાવ્યું કે ચારેય આરોપી એક ખાનગી વાહનથી સાધ્વીને તેમના ઘરે લઈ જવાના બહાને લઈ ગયા અને શેખપુરા જિલ્લાના અરિયરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ફુલચોડ ગામ પાસે તેમનો સામૂહિત દુષ્કર્મ કર્યો. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુ્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે