રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે ગુલામ નબી આઝાદ, કહી આ વાત
નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાજનીતિમાંથી સન્યાસનો ઈશારો કર્યો છે. તેમણે રાજનીતિક પક્ષો પર આરોપ લગાવ્યો છે કે તે સમાજમાં ભાગલા પાડવાનુ કામ કરેછે. જ્યારે સિવિલ સોસાયટીનુ મુશ્કેલ સમયમાં ઘણુ મહત્વનુ યોગદાન હોય છે. તેમણે કહ્યુ કે હું ઘણીવાર એ વિચારુ છુ કે રાજનીતિમાંથી રિટાયર થઈને સમાજસેવામાં લાગી જઉ. સિવિલ સોસાયટીને લોકોને સંબોધિત કરીને આઝાદે કહ્યુ કે આપણે સમાજમાં બદલાવ લાવવાનો છે, ક્યારેક-ક્યારેક હું વિચારુ છુ અને કોઈ મોટી વાત નથી કે અચાનક તમે સમજો કે અમે રિટાયર થઈ ગયા અને સમાજ સેવામાં લાગી ગયા. તેમણે કહ્યુ કે હું રાજનીતિક ભાષણ નહી આપુ કારણકે ભારતમાં રાજનીતિ એટલી ગંદી થઈ ગઈ છે કે લોકોને ક્યારેક-ક્યારેક શંકા થાય છે કે આપણે માનવી પણ છે કે નહિ.
આઝાદે કહ્યુ કે રાજકીય પક્ષોના કામ રહે છે દરેક સમયે લોકોને જાતિ, ધર્મના નામે વહેંચવા. આ બધા પક્ષો કરે છે. વળી, સિવિલ સોસાયચટીને દિશા આપવાની છે, તેને વોટ આપવાથી કોઈ મતલબ નથી. આપણે પ્રેમથી રહીને પણ એ તો કરી શકીએ છીએ. આચાર્ય કૃપલાની અને તેમના પત્ની દિવસમાં અલગ પાર્ટી માટે કામ કરતા હતા પરંતુ રાતે મિસીઝ કૃપલાની જ જમવાનુ આપતા હતા. વળી, ઘર ચલાવતા હતા પરંતુ રાજકીય પાર્ટી અલગ છે. શું આપણે આ પોતાની પાર્ટીઓ સાથે ના કરી શકીએ. આપણે પોતાની પાર્ટીઓ આપણી પોત-પોતાની પાર્ટીને આપી દઈએ પરંતુ લગ્ન પ્રસંગ, મરવા-જીવવામાં આપણે એકઠા હોઈએ. એકબીજાના ઘરે આવીએ જઈએ. શું આપણે એકઠા આ ના કરી શકીએ. શું આ આપણા વિકાસનુ કામ નથી, શું ટેક્સ આપવો આપણુ કામ નથી, શું ઈન્ડસ્ટ્રી ના હોય તો આપણે સહુ ઉઠીને અવાજ ઉઠાવીએ આ અમારુ કામ નથી, અન્યાય થઈ જાય કોઈ પણ ધર્મ અને જાતિના લોકો સાથે શું આ આપણુ કામ નથી કે આપણે અન્યાય નહિ થવા દઈએ.
આવી જ એક ઘટના બની હતી કે ગુર્જર છોકરીનો રેપ થયો હતો અને તેને મારી દેવામાં આવી. જ્યારે તેને પકડીને લઈ ગયા તો રાજકીય પક્ષોએ તેને બચાવવાની કોશિશ કરી. પરંતુ હિંદુસ્તાન ઉભુ થયુ, હિંદુસ્તાનનો મુસલમાન નહિ કારણકે હિંદુસ્તાનના મુસલમાનોને ખબર જ નથી કે ગુર્જર મુસલમાન આદિવાસી હોય છે. ગુર્જર મુસલમાન આખા હિંદુસ્તાનમાં જમ્મુ કાશ્મીર અને અમેઠીમાં છે અને ક્યાંય નથી. દેશભરના હિંદુ, સિખ, ઈસાઈ તેમના માટે ઉભા થયા. જમ્મુ એવુ હોવુ જોઈએ, તે દલિત સાથે હોય, હિંદુ સાથે હોય, પંડિત સાથે હોય. જો માત્ર સિખ માટે સિખ ઉભા થશે તો કેટલા સિખ છે અહીં કોણ સાંભળશે તેમને. કોઈ મોટી વાત નથી કે તમે અચાનક સાંભળો કે અમે રિટાયર થઈ ગયા અને સમાજ સેવામાં લાગી ગયા.