રવિન્દ્રનાથ ટાગોર અંગે ગીરીશ કર્નાડની વિવાદિત ટિપ્પણી

કર્નાડે કહ્યું કે ટાગોર એક શ્રેષ્ઠ કવિ હતા પરંતુ તેમના નાટક ખરાબ હતા, તેથી તેમના સમકાલિન બંગાળી થિયેટરમાં તેમના નાટકોને વધારે પ્રચાર પ્રસાર મળ્યો નથી. તેમના નાટક માથુ પકાવી દે તેવા હતા. કર્નાડે કહ્યુ કે ટાગોરથી સારા તો બાદલ સરકાર, મોહન રાકેશ અને વિજય તેંડુલકર જેવા નાટ્યકાર છે, જેનું લખવાનું લોકોની સમજમાં તો આવે છે.
ટાગોર અંગે આ પ્રકારનું નિવેદન કરનાર ગિરીશ કર્નાડે તાજતેરમાં જ વી એસ નાયપોલના એ નિવેદનની આકરી ટીકા કરી હતી, જે નાયપોલે ભારતીય મુસ્લિમો પર આપ્યું હતું. કર્નાડે આરોપ લગાવ્યો હતો કે રવિન્દ્રનાથ ટાગોરે ક્યારેય ગરીબ વર્ગને સારી રીતે રજૂ કર્યો નથી કારણ તે જાતે જ કુલીન વર્ગથી આવતા હતા તેથી તેમણે ક્યારેય પણ તેમની સાથે ન્યાય કર્યો નથી.
કર્નાડ દ્વારા આપવામાં આવેલા નિવેદનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સૌમિત્ર ચેટર્જીએ કહ્યું છે કે કર્નાડે બંગાળી અવડતું નથી તેવામા તે ગુરુદેવના નાટકો પર કેવી રીતે ટીપ્પણી કરી શકે, તેમણે જે કહ્યું છે તે શરમજનક છે.












Click it and Unblock the Notifications
