હારશે કોરોના! ભારતમાં બની રહી છે કોવિડ-19ની વેક્સીન, નાકથી નાખશે શરીરની અંદર
દુનિયાભરમાં દહેશત બની ચૂકેલી કોરોના વાયરસ લાખોની સંખ્યામાં લોકોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યુ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ભારત સહિત વિશ્વના વૈજ્ઞાનિક મહામારીને કાબુમાં કરનારી એ જાદૂઈ વેક્સીનની શોધમાં લાગેલા છે પરંતુ દૂર્ભાગ્યવશ હજુ કોઈ પણ દેશને આમાં સફળતા મળી નથી. આ દરમિયાન એવા સામાચાર આવી રહ્યા છે કે ભારતના વૈજ્ઞાનિક પણ વૈશ્વિક સ્તરે વાયરોલૉજિસ્ટ અને વેક્સીન નિર્માતાઓના એક આંતરરાષ્ટ્રીય સહયોગનો હિસ્સો બની ગયા છે.

ભારત બાયોટેક કંપની બનાવી રહ્યુ છે વેક્સીન
યુનિવર્સટી ઑફ વિસ્કાંસિન મેડીસીન અને વેક્સીન નિર્માતા કંપની ફ્લૂઝેનના વાયરોલૉજિસ્ટ ભારત બાયોટેક સાથે મળીને આ વેક્સીનને વિકસિત કરવાનુ પરીક્ષણ કરી રહ્યુ છે. ભારત બાયોટેકના હૈદરાબાદ મુખ્યાલયના વેક્સીન નિર્માતાએ જણાવ્યુ કે કોરોફ્લુ એક ફ્લુ વેક્સીન બેંકબોન પર બનાવવામાં આવી છે.આનુ એક ટીંપુ કોરોના વયરસના દર્દીના નાકમાં નાખવામાં આવશે, આ મનુષ્યો માટે સુરક્ષિત છે.

માનવ શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલી કરશે મજબૂત
ભારત બાયોટેક દ્વારા શુક્રવારે જારી એક રિપોર્ટ અનુસાર કોરોફ્લુ નામની વેક્સીન આ વર્ષના અંત સુધી માનવ પર પરીક્ષણ માટે તૈયાર થવાની આશા છે. કોરોના વાયરસ અને ઈન્ફ્લુએન્ઝા દ્વારા સંક્રમણના પ્રાકૃતિક માર્ગની નકલ કરવા માટે કોરોફ્લુ વેક્સીનને આંતરિક રીતે વિતરિત કરવામાં આશે જે માનવ શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલીને ઘણી રીતે સક્રિય કરશે.

દુનિયામાં પણ સપ્લાય કરવામાં આવશે વેક્સીન
ભારત બાયોટેકમાં બિઝનેસ ડેવલપમેન્ટના પ્રમુખ ડૉ. રેક્સ એલાએ કહ્યુ કે ભારત બાયોટેક વેક્સીનનુ નિર્માણ કરશે અને તેનુ મનુષ્યો પર પરીક્ષણ કરશે. આ ઉપરાંત દુનિયામાં વેક્સીનના વિતરણ માટે આની લગભગ 300 મિલિયન ખોરાકનુ ઉત્પાદન કરવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે. સહયોગ સમજૂતી માટે ફ્લુએન પોતાની વર્તમાન નિર્માણ પ્રક્રિયાઓને ભારત બાયાટેકને હસ્તાંતરિત કરશે જેથી કંપનીને ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા અને પરીક્ષણો માટે વેક્સીનનુ ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવી શકાય.

ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 2500થી ઉપર
ઉલ્લેખનીય છે કે આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19)નો સામનો કરી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 53,219થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા દસ લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 2500ને પાર થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી 69 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસને જોતા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ Good News: કોરોના મહામારીથી બહાર આવી રહ્યુ છે સ્પેન, નવા કેસોમાં ઘટાડો!