કોરોનાના સંકટમાં સરકારે 32 કરોડ લોકોને આપી કેશ, 5.29 કરોડ લોકોને મળ્યું મફત રાશન
દુનિયા હાલમાં કોરોના વાયરસ (કોવિડ -19) રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસનો આંકડો 10,000 વટતાં જ કેન્દ્ર સરકારે લોકડાઉન 3 મે 2020 સુધી વધાર્યું છે. લોકડાઉન
દુનિયા હાલમાં કોરોના વાયરસ (કોવિડ -19) રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસનો આંકડો 10,000 વટતાં જ કેન્દ્ર સરકારે લોકડાઉન 3 મે 2020 સુધી વધાર્યું છે. લોકડાઉન વધાર્યા પછી કેન્દ્ર સરકારે ગરીબો માટે રેશન અને આર્થિક મદદનું વચન આપ્યું છે. મંગળવારે નાણાં મંત્રાલયે કહ્યું કે 32 કરોડથી વધુ ગરીબોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદીએ દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા ગરીબ અને દૈનિક મજૂરોને રાહત આપવાનું વચન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા નાણાં મંત્રાલયના સચિવ રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ગઈકાલ સુધી વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 32 કરોડથી વધુ ગરીબોને 29,352 કરોડ રૂપિયાની સીધી રોકડ સહાય પૂરી પાડવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 32 કરોડથી વધુ ગરીબ લોકોને 29,352 કરોડ રૂપિયાની સીધી રોકડ સહાય પૂરી પાડવામાં આવી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે પીટીઆઈને જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ લાભાર્થીઓની બાકી પેમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. પેન્શન ઉપરાંત 2 કરોડથી વધુ વિધવા, વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને અપંગ નાગરિકોનાખાતામાં વધારાની રોકડ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લોકડાઉન: સરકાર પાસે કોઇ પ્લાન બી છે કે નહી: પ્રશાંત કીશોર