ભારતમાં ફસાયેલ વિદેશી પર્યટકો માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા, આવી રીતે મદદ મળશે
નવી દિલ્હીઃ દુનિયાના બાકી દેશોની જેમ ભારતમાં પણ વાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણથી બચવા માટે હાલ દેશમાં 21 દિવસું લૉકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ભાર સરકાર અંતર્ગત આવતા ર્યટન મંત્રાલયે અહીં ફસાયેલ વિદેશી પર્યટકો માટે કેટલાક હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. વિદેશી પર્યટકોને લઈ મંત્રાલયે કહ્યું કે તેઓ આવા લોકો સાથે છે, જેઓ પોતાના દેશથી દૂર ભારતમાં લૉકડાઉનને પગલે ફસાઈ ગયા છે.
મંત્રાલયનું કહેવું છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી આવા પર્યટકોને સહાયતા મળી શકે છે. જો કોઈ વિદેશી પર્યટક ભારતમાં ફસાયો છે તો તે નીચે જણાવેલ ઈમેલ આઈડી અને નંબર પર સંપર્ક કરી શકે છે.
- કોવિડ-19 હેલ્પલાઈન નંબર- +91-11-23978046/ 1075
- હેલ્પલાઈન મેઈલ આઈડી- ncov2019@gov.in
- વૉટ્સએપ નંબર (ભારત સરકારનું કોવિડ-19 હેલ્પ ડેસ્ક)- +91 9013151515
- BOI હેલ્પલાઈન- support.covid19-boi@gov.in, 011-24300666
- પર્યટક હેલ્પલાઈન- 1363 or 1800 11 1363
આની સાથે જ વિદેશ મંત્રાલયે કોવિડ-19ને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ નંબરો પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાય છે.
- કંટ્રોલ રૂમ- 1800118797 (toll free), +91-11-23012113,+91-11- 23014104, અને +91-11-23017905
- ફેક્સ નંબર- +91-11-23018158
- ઈમેલ- covid19@mea.gov.in
કોરોના ફ્રી ટેસ્ટના આદેશમાં ફેરફારની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી