તસવીરો: રસ્તો બનતા જ ગામ બન્યુ વિધવા, વેશ્યાવૃત્તિ બની મજબૂરી
કોઇ પણ ગામ કે શહેરના વિકાસની ઓળખ તેના રસ્તા હોય છે. પરંતુ તમને કદાચ નહીં ખબર હોય કે ભારતમાં એક એવુ ગામ છે કે તેના રસ્તા ગામની બર્બાદીનું કારણ બની ગયા. જી હા, અમે વાત કરી રહ્યાં છે તેલંગાણાના પેદ્દાકુંતા થાંડા ગામની. આ આખાય ગામમાં કોઇ પુરૂષ નથી. અને તેનુ સૌથી મોટું કારણ છે નેશનલ હાઇવે માટે બનેલો બાયપાસ રોડ.
જાન્યુઆરી 2006થી આ બાયપાસ રોડ પર એક્સીડેંટની ઘટનાઓની શરૂઆત થઇ. ત્યારથી લઇને અત્યારસુધી આ રસ્તા પર 80 લોકોના મોત થયા છે. પરિણામે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે ભરણપોષણ માટે મહિલાઓએ વેશ્યાવૃત્તિનો માર્ગ અપનાવવો પડ્યો છે.
રસ્તો બન્યો ત્યારે ગ્રામજનો ખુશ હતા
જ્યારે આ બાયપાસ રસ્તો બન્યો ત્યારે ગ્રામજનો ઘણાં ખુશ હતા. ગામના લોકો એક એવો રસ્તો ઇચ્છતા હતા કે જે તેમને સુરક્ષિત રીતે નંદીગામ સુધી પહોંચાડી દે. તમને જણાવી દઇએ કે ગામથી 5 કિલોમીટર દૂર આવેલુ નંદીગામ આ ગામનું મુખ્યાલય છે.
ગામમાં માત્ર એક પુરૂષ
પેદ્દાકુંતા થાંડા ગામમાં માત્ર વિધવાઓ જ છે. આખાય ગામમાં માત્ર એક પુરૂષ છે, અને તે પણ માત્ર 6 વર્ષની ઉંમરનું બાળક છે.
પેટ ભરવા માટે કરે છે વેશ્યાવૃત્તિ
આ ગામની જ એક વિધવા મહિલાએ જણાવ્યું કે અમારામાંથી કેટલીક મહિલાઓએ પેટ ભરવા માટે વેશ્યાવૃત્તિ કરવી પડે છે.
સરકારે કરી છે વિધવા પેંશનની ઘોષણા
સરકારે વિધવા પેંશનની ઘોષણા તો કરી છે, પણ તે માટે પણ તેમણે પોતાનો જીવ જોખમમાં નાખવો પડે છે.