NIA કરશે લિયાકતની ધરપકડની તપાસ
લિયાકત અલી શાહની ધરપકડ પર મચી રહેલી બબાલને ગૃહ મંત્રાલયને ગંભીરતાથી લીધી છે. ગૃહ મંત્રાલયે તેની તપાસ એનઆઇએને સોંપી છે. આ સાથે જ હોમ સેક્રેટરી આર.કે.સિંહે દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ સેલના જોઇન્ટ કમિશનરને બોલાવ્યા છે. બન્નેએ આ મામલામાં જવાબ આપવા અંગે કહેવામાં આવ્યું છે. કેન્દ્રિય હોમ સેક્રેટરી આર.કે.સિંહે આ પહેલા રવિવારે કહ્યું હતુ કે બન્ને પક્ષોની વાતોની સમીક્ષા કર્યા બાદ જ જરૂર પડ્યે નિર્ણય કરવામાં આવશે.
નોંધનીય છે કે દિલ્હી પોલીસ જ્યાં લિયાકતે ધરપકડ કરી હુમલોનું ષડયંત્ર નાકામ કરવાનો દાવો કરી રહી છે, ત્યારે જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે તે પાકિસ્તાન સ્થિત કાશ્મીર(પીઓકે)થી સમર્પણ કરીને શ્રીનગર આવી રહ્યો હતો. તેણે 20 માર્ચે ગોરખપુરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્રેનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલાને લઇને જમ્મૂ-કાશ્મીરમા રાજકીય માહોલ ગરમાયો છે. સોમવારે જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો મચ્યો. 4 ધારાસભ્યોએ લિયાકત અલીની ધરપકડ મામલે સદનનું કાર્ય સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ મામલે એનઆઇએની તપાસની માંગ કરી હતી.
જમ્મૂ-કાશ્મીરના ઘણા રાજકીય નેતાઓ દિલ્હી પોલીસની કાર્યવાહીની આલોચના કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે લિયાકતની ધરપકડ રાજ્ય સરકારને ઝટકો છે, જેને નજરઅંદાજ કરવો જોઇએ નહીં. સરકારના તથ્યોની સાથે સામે આવવું જોઇએ અને એ લોકોને એક કઠોળ સંદેશ આપવો જોઇએ, જે આ પુનર્વાસ નીતિની વિરુદ્ધ છે.