એક મચ્છર: શરીરમાંથી લોહી અને ખિસ્સામાંથી એક લાખ રૂપિયા ચૂસી શકે છે
દેશભરમાં દિલ્હીથી લઇને કન્યાકુમારી સુધી ડેન્ગ્યુનો કહેર વર્તાઇ રહ્યો છે. દિવસેને દિવસે મૃતકોની સંખ્યા પણ વધી રહી છે . એક તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેન્ગ્યુને નાથવા આરોગ્યવિભાગ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યાં ડેન્ગ્યુની સારવાર પણ મોંઘી થઇ રહી છે. અને જે લોકો સારવાર નથી લઇ શક્તા તેમણે જીવ ગુમાવવો પડી રહ્યો છે.
જો ડેન્ગ્યુની વિસ્તારથી ચર્ચા કરીએ તો દર્દીને તે સમયે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવે છે જ્યારે તેના પ્લેટલેટ્સ 20,000થી ઓછા હોય. દર્દીને ICUમાં ભર્તી કરવામાં આવે છે. એવુ બહુ ઓછા કેસમાં બને છેકે દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવાની જરૂર ન પડે. કારણ કે પ્લેટલેટ્સ 20,000 સુધી આવી ગયા બાદ તેને દવાઓથી કંટ્રોલ કરવુ મુશ્કેલ થઇ જાય છે.
તેવામાં જો પ્લેટલેટ્સ 10,000 સુધી થઇ જાય તો પ્લેટલે્ટસ ચઢાવવા મુશ્કેલ બની જાય છે. અને તેથી જ મુંબઈ કોર્પોરેશને ડૉક્ટર્સને એક ગાઇડલાઇન જાહેર કરી છે કે જો જરૂર ન હોય તો પ્લેટલેટ્સ ન ચઢાવવામાં આવે. કારણ કે મહત્તમ કેસીસમાં દર્દીનું મોત પ્લેટલેટ્સ નહીં મળવાને કારણે થાય છે.
ગ્રામીણ ભારતમાં 58 ટકા લોકો ખાનગી દવાખાનામાં સારવાર કરાવે છે. તો શહેરોમાં 68 ટકા લોકો ખાનગી દવાખાનામાં સારવાર કરાવે છે. તેવામાં દર્દીને સારવાર માટે લાખો રૂપિયા ખર્ચ થઇ જાય છે. તો આવો જાઈએ ડેન્ગ્યુની સારવાર તમારા ખીસ્સા કેટલી હદ સુધી ખાલી કરાવી શકે છે.
એક મચ્છર લોહી અને પૈસા બંને ચુસે
સામાન્ય રીતે પ્લેટલે્ટસ ચઢાવવામાં 10થી 15 હજાર રૂપિયા લાગી શકે છે.
એક મચ્છર લોહી અને પૈસા બંને ચુસે
એક વખત પ્લેટલેટ્સ ચઢાવવાથી 10,000 સુધી વધી જાય છે.
એક મચ્છર લોહી અને પૈસા બંને ચુસે
ડેન્ગ્યુના કેસીસમાં જે રીતે વધારો થઇ રહ્યો છે, પ્લેટલે્ટસની કિંમત 25,000 થઇ ગઇ છે.
એક મચ્છર લોહી અને પૈસા બંને ચુસે
આ ઉપરાંત મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે દાખલ કરવામાં આવે છે, ત્યારે એક દિવસનો બેડ ચાર્જ 3થી 4 હજાર થાય છે.
એક મચ્છર લોહી અને પૈસા બંને ચુસે
ડેન્ગ્યુની સારવાર દરમ્યાન પ્લેટલેટ્સ ચઢાવવાની પ્રક્રિયા એક અઠવાડિયામાં બે દિવસ સુધી ચાલે છે