For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લાસ્ટ વખતે તમામ CCTV કેમેરા ચાલુ હતા: કમિશ્નરનો ખુલાસો

|
Google Oneindia Gujarati News

hyderabad blast
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરી: હૈદરાબાદમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટના પગલે આજે પોલીસ કમિશ્નર અનુરાગ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે બ્લાસ્ટ મામલે હજી કોઇની ધરપકડ થઇ નથી તેમજ આ કેસની તપાસ માટે 6 વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

કમિશ્નરે બ્લાસ્ટના પગલે વધુ માહિતી આપતા જણાવ્યું કે બ્લાસ્ટ દરમિયાન સીસીટીવી કેમેરા ચાલુ જ હતા. હૈદરાબાદમાં 265 સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આતંકીઓએ 4 સ્થળે રેકી કરી હતી, અને તેમને ઝડપથી પકડી લેવામાં આવશે. ઉપરાંત તેમણે આ મામલે જાણકારી આપનારને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી.

તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ એસઆઇટીને સોંપાવામાં આવી છે, તેમણે જણાવ્યું કે ક્રાઇમબ્રાંચના વડા સીટના વડા રહેશે. કમિશ્નરે લોકોને આશ્વાસન આપ્યુ છે કે ઝડપથી આ ઘટનાને અંજામ આપનારોને પકડી પાડવામાં આવશે.

કમિશ્નરે જણાવ્યું કે એફએસએલની ટીમને ઘટના સ્થળેથી પૂરતા પૂરાવા મળ્યા છે, તપાસ ચાલુ છે. તેમણે જણાવ્યું વિસ્ફોટ કરવામાં આતંકીઓએ એમોનિયમ નાઇટ્રેટ અને આઇઇડીનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસ કમિશ્નરે એ વાતની ખરાઇ કરી હતી કે તેમને 15 ફેબ્રુઆરીના રોજ એલર્ટ મળ્યું હતું.

English summary
every CCTV camera was working while blast said Hyderabad police commissioner press conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X