પુરસ્કાર નહીં મળતા સુશીલ કુમાર નારાજ: કોને મળ્યો પદ્મ ભૂષણ?
આ ઉપરાંત પદ્મશ્રી પુરસ્કાર મેળવનારાઓમાં ઓલિમ્પિકમાં રજત પદક વિજેતા વિજય કુમાર, પર્વતારોહી પ્રેમલતા અગ્રવાલ, પહેલવાન યોગેશ્વર દત્ત, પૈરાએથલીટ એચએસ ગિરીશા, મુક્કેબાજ એન ડિંકોસિંહ અને નૌકાચાલન સાથે જોડાયેલા લાલ તાખડનો સમાવેશ થાય છે. જોકે ભારત માટે ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનાર સુશીલ કુમારને પદ્મ ભૂષણ માટે નહી ચૂંટવા એ ચોંકાવનારી બાબત છે.
આ ઉપરાંત સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ સુપર સ્ટાર રાજેશ ખન્ના અને કોમેડિયન જશપાલ ભટ્ટીને મરણોપરાંત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે શ્રીદેવીને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
ઋતુ કુમાર અને વિજય કુમારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રોફેસર યશપાલ, હૈદર રજા, રઘુનાથ મહાપાત્રા, આર.નરસિમ્હાને પદ્મ વિભૂષણ થકી સન્માનિત કરવામાં આવ્યા. બોલીવુડ કલાકાર શર્મિલા ટેગોરને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવશે.