હરિયાણાથી બદલી થઇને કેન્દ્રમાં તૈનાત થશે IAS અશોક ખેમકા
અશોક ખેમકાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા દ્વારા હરિયાણામાં કરવામાં આવેલા જમીન સોદાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં તેને રદ કરી દિધા હતા. ત્યારબાદ હરિયાણા સરકારે તાજેતરમાં જ તેમના વિરૂદ્ધ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. જો કે એક આરટીઆઇ એક્ટિવિસ્ટે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. હરિયાણા સરકારે આ આરોપોના આધાર પર આ પગલું ભર્યું હતું.
ખેમકા સરકારે ઓક્ટોબર 2012માં રોબર્ટ વાઢેરાની સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી અને ડીએલએફ યૂનિવર્સલ વચ્ચે ડીલને રદ કરી દિધી હતો. હરિયાણા સરકારે વાઢેરા અને ડીએલએફની વચ્ચે થયેલા આ સોદાને રદ કરવા છતાં પણ ખેમકા વિરૂદ્ધ ચાર્જશીટ તૈયારી કરી હતી. આરોપ હતો કે અશોક ખેમકાએ પોતાના અધિકાર ક્ષેત્રને બહાર જઇને આ ડીલને રદ કરાવી છે. અશોક ખેમકા હંમેશાથી જ કહેતા રહ્યાં છે કે હરિયાણા સરકાર વાઢેરા-ડીએલએફ ડીલમાં તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના લીધે તેમને પરેશાની વેઠવી પડે છે.
આ વર્ષે 15 માર્ચના રોજ અશોક ખેમકાએ સેંટરમાં ડેપ્યુટેશન માટે અરજી આપી હતી. અશોક ખેમકાની છબિ કરપ્શન વિરૂદ્ધ ઉઠાવનાર ઓફિસરની રહી છે. 20 વર્ષના કેરિયરમાં તેમની 49 વાર બદલી કરવામાં આવી છે.