For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌહત્યા કરશો તો સમાજથી બહાર કાઢી દઇશું, મસ્જિદમાં થયું એલાન

52 ગામના તુર્કોની મીટિંગમાં મૌલાનાએ કર્યું એલાન કે જો ગૌહત્યા કરી તો તેને સમાજની બહાર નીકાળી દઇશું. જાણો આ અંગે વધુ

|
Google Oneindia Gujarati News

સંભલ: તુર્ક સમાજના લોકોએ ગૌહત્યા મામલે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે જે લોકો ગૌહત્યા કરશે તેની સામે કાનૂની કાર્યવાહી તો થશે જ સાથે જ તેને સમાજની પણ બહાર નીકાળી દેવામાં આવશે. આ જાહેરાત 52 ગામના તુર્કોની મીટીંગમાં મૌલાના દ્વારા કરવામાં આવી. અને આમ કરીને આ ગામના લોકોએ ભાયચાાર અને સદ્દભાવનાનું એક સારું ઉદાહરણ પુરું પાડ્યું છે.

maulana

ઉત્તર પ્રદેશના જિલ્લા મદાલા ગાંવમાં 52 ગામના તુર્ક સમાજના લોકોએ મસ્જિદમાં મીટિંગ કરી તમામ મૌલાનાઓની હાજરીમાં આ જાહેરાત કરી હતી. મૌલાનાએ તુર્ક સમાજના લોકોને સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમે ગૌહત્યા બિલકુલ ના કરવી જોઇએ. આપણા ધર્મમાં અન્ય કોઇ ધર્મની ભાવનાને ઠોસ પહોંચાડવાની છૂટ નથી.
સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે જો તેમના સમાજનો કોઇ પણ વ્યક્તિ ગૌહત્યા કરતો પકડાઇ જશે તો તેની સાથે સખત પગલાં સમાજ દ્વારા લેવામાં આવશે. વધુમાં મૌલાનાએ આ બેઠકમાં પીએમના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના પણ વખાણ કર્યા. અને બેઠકમાં મૌલાનાનો આ નિર્ણય હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર પણ કર્યો.

English summary
If anyone kill a cow will be ousted from Turks society, Maulanas announced in Sambhal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X